________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧
જીવન ચરિત્ર સુરચંદભાઈ તથા સ્વરૂપચંદભાઈએ સારી રીતે લી. શેઠ મગનલાલ કંકુચંદે ગુરૂશ્રીને ઉપદેશ વડે ધર્મને ઉદ્યોત કરનાર ઉજમણુ સંઘ ભક્તિને લાભ લીધે. ગુરૂદેવના અનુભવજ્ઞાનવાળી કલમથી પરમાત્મદર્શન અનુભવપંચવિશિકા પરમાત્મદર્શન, આત્મદર્શન ગીતા, જેગીતા, પ્રેમગીતા. વિગેરે ગ–અધ્યાત્મ-તત્વમય ગ્રંથ લખાયા. ચેમાસું પૂર્ણ થતાં ગુરૂદેવ વરસડા સંઘના આગ્રહથી વરસડા પધાર્યા ત્યાં શ્રી ઠાકોર સાહેબ તથા સઘ ગુરૂદેવનું બહુમાનપૂર્વક સામૈયું કરી તેમને પ્રવેશ કરાવ્યું. સંઘ તથા ઠાકોર સાહેબની વિનંતિથી આઠ દિવસ જ્ઞાનમય હિતેપદેશ આપે. તેઓશ્રીના ઉપદેશથી વરસેડા જીનમંદિરમાં જીર્ણોદ્ધાર કરાવેલ તે મંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવ કરાવી સંઘમાં આનંદ પ્રવર્તા. ત્યાંથી મહુડી સંઘના આગ્રહથી ગુરૂદેવ મહુડી પધાર્યા ત્યાં નવા વસેલા મહુડીમાં સંઘે પદ્મપ્રભુ પરમાત્માનું તીર્થ રૂપ દેવમંદિર તૈયાર કરાવી ગુરૂદેવના વરદ હસ્તે પ્રતિષ્ઠા કરાવી તેમજ જૈનદર્શન માન્ય મહાચમત્કારીક શાસન રક્ષક ઘંટા કરણ મહાવીરનું દેવમંદીર બનાવી તેમાં તે ઘંટાકરણ મહાવીરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ગુરૂદેવના વરદ હસ્તે કરાવીને મંદીરમાં સ્થાપના કરી. અમદાવાદના શેઠ જગાભાઈ તથા મણીભાઈ વિગેરે ગુરૂમહારાજના દર્શનાર્થે આવેલા તેમણે તે શુભ કાર્યમાં ભાગ લીધે. આજ પણ ઘંટાકરણ મહાવીરની માન્યતા પૂજા, કેટલાક સાધુઓને વિરોધ હેવા છતાં પણ પુરજોસથી ચાલે છે. ઘણા લેકની ઈચ્છા પણ પૂર્ણ થાય છે.
For Private And Personal Use Only