SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવન ચરિત્ર ૫૩ શ્રાવિકાઓએ ભાગ લીધો હતો તે પ્રસંગ સાધુઓને સુંદર એકત્વ ભાવ બતાવતું હતું. શ્રીમન્ના ગુણો સંભારતા સવે વિખરાયા હતા. હવે શ્રી બુદ્ધિસાગરજીએ ગુરુશ્રીના સમુદાયને સાચવવાને ભાર ઉપાડ શ્રી અમદાવાદમાં શ્રાવકના આગ્રહથી વિશેષાવશ્યકનું વ્યાખ્યાન કરાતું હતું. શ્રોતાવર્ગની ઠઠ જામતી હતી, ઘણું ભવ્યાત્માઓને તત્વાનુભવ થ. स्वेन संस्थापितं तस्मि-न्नध्यात्मज्ञानमण्डलम् । ज्ञानेन विशदीकृत्य, दीपयामास योगिराद् ॥६५॥ मोहनादि महेभ्यानां, तत्त्वजिज्ञासुचेतसाम् । अभीष्टं पूरयामास, योऽध्यात्मशानभास्करः ॥६६॥ શ્રી અમદાવાદમાં પાદરાવાસી શેઠ શ્રી મેહનલાલ હેમચંદ સુરતવાસી જીવણભાઈ ધર્મચંદ વિજાપુરવાસી લલ્લુ ભાઈ કરમચંદ દલાલ અમદાવાદના શ્રી લાલભાઈ દલપતભાઈ મણભાઈ તથા જગાભાઈ તથા શેઠ મેહનલાલ ઝવેરી સુરતના શેઠ ઝવેરી જીવણભાઈ ધર્મચંદ ભુરીયાભાઈ જીવણચંદ આદિ અધ્યાત્મ જ્ઞાનના રસીયા શ્રાવકનું મંડળ બેલાવી તેમને પુસ્તક પ્રકાશન વિગેરે ધર્મ કાર્યની વ્યવસ્થા સંભાળવા માટે ઉપદેશ આપી અધ્યાત્મજ્ઞાન પ્રકાશક મંડળની સ્થાપના કરી તે કાર્ય માટે તથા સસ્તાભાવે જૈન જૈનેતર વર્ગમાં અધ્યાત્મગ ધર્મ નીતિ વ્યવહાર જ્ઞાનનો ફેલાવો થાય તે માટે પૂર્વાચાર્ય કૃત પુસ્તક તથા હાલમાં તેના અનુવાદ વિશેષ વ્યાખ્યાન કરાયેલા ગુજરાતી હીંદી વિગેરે ભાષામાં થયેલા ગ્રંથને છપાવી ઓછા મૂલ્યથી વેચાણ કરી જગતમાં જ્ઞાનને ફેલાવે કરવાનું કામ સોંપ્યું. તેનું મુખ્ય સ્થળ તે વખતે For Private And Personal Use Only
SR No.008689
Book TitleYoganishth Acharya Buddhisagarsuri Charitra
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages119
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy