SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું અનેક રંગ જોઈ તેમાં રંગાયા વિના આત્મભાવે જ્ઞાન દર્શન ચારિત્ર ગુણામય સ્વાત્મચિદાનંદમય આત્મધર્મમાં એકત્વભાવે મસ્ત બનજે. અને તે તમારે મોક્ષમાં જવાને પરમ પુરૂષ પ્રણીત માગે છે. તેમાં ગમન કરતાં અનેક વિદને અડચણે પ્રભને આવશે તેથી નિવીર્ય બન્યા વિના વિકલ્પને ત્યાગ કરી સમતા ભાવે રહીને મોક્ષ માર્ગ તરફ વિલાસ પૂર્વક ગમન કરજે. તેમજ પર એટલે અન્ય મનુની નિંદા હૈષ ઈર્ષાને ત્યાગ કરીને સત્યાસત્યને અનુભવ પૂર્વક નિશ્ચય કરી સત્ય ધર્મમાં એકત્વભાવે ચિત્તને સ્થાપન કરજે. તેમજ આ સર્વ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા રૂપ સંઘમાં જે હાના હોય કે મોટા હોય તે સર્વની સાથે પ્રકૃતિને અનુકુલ રહીને સંપ પૂર્વક ધ્યાનમાં રહીને દરેક કાર્ય એક મતિથી કરજે. આત્મધ્યાનમાં અડેલ રહીને મુક્તિના પંથમાં વરજે.' આ પ્રમાણે ઉપદેશ આપીને સમાધિ ભાવમાં સ્થિર થવા પ્રયત્ન કરવા લાગ્યા. આ વખતે આચાર્યશ્રી અજીત સાગરજી વિગેરે સાધુઓ તથા લાભશ્રી વિગેરે સર્વ સાધવીએને એમ લાગ્યું કે આપણને પૂજ્ય ગુરૂશ્રી વિરહ પડશે તેથી મનમાં બહુ ગમગીનતા આવી ગઈ. પરંતુ આ સમયે હિમ્મત રાખ્યા વિના ચાલે તેમ નહોતું. ગુરૂશ્રી સમાધિમાં ભંગ ન થાય તે કારણે હીમ્મત રાખીને ધ્યાનમાં લીન થયા. ગુરૂદેવ સમાધિ પૂર્વક આત્મસ્વરૂપમાં એકત્વ ભાવે સર્વ સંબંધને ત્યજીને લીન થવા લાગ્યા. For Private And Personal Use Only
SR No.008689
Book TitleYoganishth Acharya Buddhisagarsuri Charitra
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages119
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy