SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ અધ્યાત્મજ્ઞાન વિનાના મનુષ્ય આત્માના ગુણોનો પ્રકાશ કરવાને શકિતમાન થતા નથી. શ્રીમદ્ ઉપાધ્યાયજીએ અધ્યાત્મજ્ઞાનને આનન્દઘનજી પાસેથી વિશેષ અનુભવ મેળવ્યું હતું. તેમના છેલ્લા વર્ષોનું તેમનું મન અધ્યાત્મજ્ઞાન પ્રત વળ્યું હતું. છેલ્લા પર વર્ષમાં તેઓ અધ્યાત્મજ્ઞાનમાં વિશેષતઃ રમતા કરતા હતા અને અધ્યાત્મ દિશાના રસપષક ગ્રન્થાને લખતા હતા એમ તપાગચ્છના એક હેમસાગરે યતિના મુખેથી પરંપરાએ સાંભળ્યું છે. આવા મહા પ્રભાવક જ્ઞાની ગીતાર્થ મુનિવરનાં છેલ્લાં વર્ષ અધ્યાત્મજ્ઞાન, ધ્યાન, અને ધર્મ ક્રિયામાં, વહન થયાં હતાં એમ લેખકને તેમના ગ્રન્થરૂપ આરીસામાં જોતાંમાં નિશ્ચય થાય છે અધ્યાત્મજ્ઞાનનો વિસ્તાર કરવા ગુર્જર ભાષામાં શ્રીપાલરાસ, જબુસ્વામીરાસ, અને દ્રવ્ય ગુણ પર્યાયના રાસમાં ઉત્તમ બોધ આપે છે. હિન્દુસ્થાની અને ગુર્જર ભાષામિત્ર જેવી ભાષામાં સમાધિશતક, સમતાશતક, જશવલાસ વગેરે ગ્રન્થ રચીને મનુષ્ય ઉપર મહાન ઉપકાર કર્યો છે. અધ્યાત્મસાર, અધ્યાત્મપનિષત, જ્ઞાનસાર વગેરે ગ્રન્થો લખી સંસ્કૃત ભાષાજ્ઞ મનુષ્પો ઉપર પણ મહાન ઉપકાર કર્યો છે. અત્ર ગુર્જર ભાષાના ગ્રન્થોમાં લખેલા અધ્યાત્મજ્ઞાનને વિષય ચર્ચવામાં આવે છે તેથી અધ્યાત્મજ્ઞાનાદિ પુષ્ટિ માટે સંસ્કૃત ભાષાના પ્રત્યેની સાક્ષી આપી નથી. અધ્યાત્મ જ્ઞાનમાં ઉપાધ્યાયજી બહુ ઉંડા ઉતર્યા હતા. આવી દશાવાળા મહાપુરૂષનું સાધુચારિત્રજીવન ખરેખર ઉત્તમોત્તમ હતું, એમ તેમના હૃદયના ઉભરાઓ કહી આપે છે. શ્રીમદ્ ઉપાધ્યાયજી તે વખતમાં ચાલતા એકાન્ત મતિનું ખંડન કરીને સત્ય દર્શાવવામાં પાછા પડતા નહોતા. તત્ત્વજ્ઞાન વિનાના અને માનપૂજા કીર્તિના, ધર્મના તાપે લક્ષ્મી લેનારા અને ધમાધમ ચલાવનારા લાલચુ કેટલાક ધર્મોપદેશક જનાગમથી વિરૂદ્ધ વર્તતા હતા અને જેનાથી વિરૂદ્ધ ભાષણ કરતા હતા તેને સુધારવાને સીમંધર સ્વામિનું સ્તવન રચીને તેઓને વચ ફટકા મારીને ઉત્તમ બોધ આપવા અને તેમજ ધર્મ છુએ સત્યમાર્ગમાં દોરાય, અને ધર્મ માર્ગમાં સડે પેઠે હોય તે દુર થાય અને કુધારાઓને ત્યાગ કરીને જેને સુધર્મના અસલના માર્ગ ઉપર આવે એ હેતુથી નીચે પ્રમાણે સીમંધર પ્રભુને વિજ્ઞપ્તિ કરે છે. સ્વામી સીમંધર વીનતિ-સુણે માહરી દેવરે, તાહરી આણ હું શિરધરૂં–આદરૂં તાહરી સેવરે. સ્વામી - ૧ કુગુરૂની વાસનાપાશમાં–હરિણ પરે જે પડયા કરે, તેહને શરણ તુજ વિણ નહિ–હળવલે બાપડા ફકરે. સ્વામી - ૨ જ્ઞાન દર્શન ચરણ ગુણ વિના–જે કરા કુલાચારરે. લુંટી તેણે જગ દેખતાં—કિહાં કરે લેક પિકારરે. સ્વામી ૩ જે નવિ ભવ તર્યા નિરગુણી-તારશે કેણીપેરે “તેહરે, એમ અજાણ્યા પડે કંદમાં–પાપબંધ રહ્યા તેહરે. સ્વામી ૪ કામ કુંભાદિક અધિકનું–ધર્મનું કા નવિ મૂલરે, દોકડે કુગુરૂ તે દાખ–શું થયું એહ જગસૂલરે. સ્વામી ૫ અર્થની દેશના જે દીએ-એલવે ધર્મના ગ્રન્થરે, પરમ પદનો પ્રગટ ચારથી–તેહથી કેમ વહે પત્થરે. સ્વામી૬ વિપયરસમાં ગૃહી માચિયા–નાચિયા કુગુરૂ મદપુરરે, ધુમધામે ધમાધમ ચલી-જ્ઞાનમારગ રહ્યા દૂર. - સ્વામી છે For Private And Personal Use Only
SR No.008685
Book TitleYashovijayji Jivan Guj Sahitya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy