SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૮ ]. સુંદર પર પરિવાદ વ્યસન તજે, મ કરે નિજ ઉત્કર્ષ હે; સુંદર પાપકર્મ એમ સવિ ટલે, પામે શુભ જ હ હે. સુજ્ઞ વાચક! આ સજાયને ભાવાર્થ સુગમ હોવાથી સ્વયમેવ અવધી શકાશે. ઉપાધ્યાયે નિન્દા કરનારને ચેથા ચંડાળની ઉપમા આપી છે. નિન્દા ઉપર ઉપાધ્યાયને કેટલો બધે તિરસ્કાર હતો, તે તેમનાં વાક્યોથી જાણી શકાય છે. જેને નિન્દા કરવાની ટેવ પડી છે તેનું સાધુપણું, શ્રાવકપણું, મનુષ્યત્વ ને તપ, જપ, અને ક્રિયાઓ ફોક અર્થાત નિપ્પલ છે, નિન્દા કરનાર સાધુ તપસ્વિ હેડ જાતિના દેવતા તરીકે થાય છે. તપનું અઝરણુ ક્રોધ છે, જ્ઞાનનું ઝરણું અહંકાર છે, આહારનું અઝરણું વમન છે, અને ક્રિયાનું અજીરણ નિન્દા છે. ક્રિયા કરનારાઓમાં નિન્દાનો દોષ વિશેષતઃ દેખવામાં આવે છે. ધર્મની ક્રિયા કરનારા કેટલાક જૈને વા અન્ય ક્રિયાઓ કરીને નિન્દા દોષમાં ફસાય છે, અને તેથી તેઓ હૃદયની શુદ્ધિ કરવાને - ક્તિમાન થતા નથી. શ્રીમદ્ ઉપાધ્યાયજીએ ધર્મની ક્રિયા કરનારાઓને નિન્દા કરતાં દેખ્યા હશે તેથી ક્રિયાઓ કરનારમાં નિન્દા દોષ મોટા ભાગે રહે છે એમ લખ્યું છે. જેનોમાં હાલ પણ કેટલાક ક્રિયાનું અરણ નિન્દારૂપે બતાવી આપે છે. મૂઢ મનુષ્યોમાં નિન્દાને દોષ વધી પડેલો જોવામાં આવે છે. નામ દઈને કોઈની પણ નિન્દા ન કરવી જોઇએ. સુજ્ઞ મનુષ્પો પ્રાણને પણ નામ દઇને કોઇની નિન્દા કરતા નથી. દોષ દૃષ્ટિથી મનુષ્યોમાં નિન્દાની ટેવ વધે છે, અને ગુણાનુરાગ દ્રષ્ટિથી નિન્દાદેશને નાશ કરી શકાય છે. જગતમાં એક મનુષ્યમાં સર્વ પ્રકારના ગુણો હોતા નથી. કેઈનામાં સગુણો વિશેષ હોય છે અને દુર્ગુણો અલ્પ હેય છે. અને કોઇનામાં દુર્ગુણ ઘણું હોય છે અને ગુણો થોડા હોય છે. નિન્દા કરનાર મનુષ્ય દુજન તરીકે જગતમાં ગણાય છે. અને રાક્ષસ તરીકે જગતમાં સજજનોને ભય કરનાર થાય છે. નિન્દા કરનારે નિદાદોષનો ત્યાગ કરે એજ ઉપાધ્યાયજીના ઉપદેશને આશય છે. એ પ્રમાણે દેના ત્યાગ સંબંધી ઉપદેશ આપીને, મનુષ્યોને સગુણોના માર્ગ તરફ દોરનાર શ્રીમદ્દ આપણે જેટલો ઉપકાર માનીએ તેટલો અલ્પ છે. શ્રીમદ્દ ઉપાધ્યાયજી વસ્તુવર્ણન કરવામાં પણ સારી નિપુણતા ધરાવે છે. રાજાનું, નગ રનું, વા અમુક પદાર્થનું વર્ણન કરવામાં, તે કાળના કવિની શૈલીને વસ્તુવર્ણન શક્તિ. અંગીકાર કરીને, વસ્તુનું વર્ણન મનોરંજન થાય તેવી રીતે કરે છે. અઢારમા સૈકાના કવિરાજ પ્રેમાનંદની પેઠ, યશોવિજયજી પણ વસ્તુવર્ણન કરવામાં ઉત્તમ કવિની ગરજ પુરી પાડે છે. ઉપાધ્યાયકૃત વસ્તુવર્ણન વિષયની કેટલીક કડીઓ નીચે લખવામાં આવે છે. શ્રીપાલરાસ-ખંડ ત્રીજે-ઢાલ છઠ્ઠી. એક દિન એક પરદેશી, કહે કમરને અભુત ડામરે; સુણુ યોજન ત્રણસેં ઉપરે, છે નયર કંચનપુર નામરે. જુઓ જુઓ અરિજ અતિ ભલું. ૧ તિહાં વન છે રાજી, અરિકાલ સબલ કર વાલરે; તસ કંચનમાલા છે કામિની, માલતીમાલા સુકમાલ. જુઓ. ૨ તેને સુત ચારની ઉપરે, રૈલોક્ય સુંદરી નામ; પુત્રી છે વેદની ઉપરે, ઉપનિષદુ યથા અભિરામરે. જુઓ. ૩ For Private And Personal Use Only
SR No.008685
Book TitleYashovijayji Jivan Guj Sahitya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy