SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સજજાય શરૂ કરી. ઘણો વખત થયો, તે પણ સજજાયને પાર આવ્યા નહિ. શ્રાવકો અકબાવવા લાગ્યા, અને કહેવા લાગ્યા કે સજાય કેટલી મોટી છે. ઉપાધ્યાયે જવાબ આપ્યો કે કાશીના અભ્યાસના મશ્કરી જેટલી મોટી છે. અમદાવાદથી વિહાર કરતા કરતા ઉપાધ્યાય શ્રી ખંભાત બંદરમાં પધાર્યા. ખંભાત ખંભાતમાં વાદવિવાદ.' સ, બંદરમાં ઉપાધ્યાયનું બહ સન્માન થયું. તે વખતે ખંભાત નગરની વ્યાપારાદિકના યોગે પૂર્ણ ચઢતી હતી. ઉપાધ્યાય વ્યાખ્યાન વાંચીને સમાપ્ત કર્યું. એવામાં તેમના અધ્યાપક ગુરૂ કાશીથી આવી પહોંચ્યા. ઉપાધ્યાયે તેમને સત્કાર કર્યો અને કરાવ્યો; ખંભાતના શ્રાવકોએ સાર હજાર રૂપિયા ગુરૂદક્ષિણ તરીકે બ્રાહ્મણ પંડિતને આપ્યા. ભાષાના વિદ્યા ગુરૂ તે બ્રાહ્મણ હતા. પણ તે ધર્મગુરૂ નહોતા. સાધુઓના અને શ્રાવકેના ધર્મગુરૂ તે સાધુઓ હોય છે. ખંભાતમાં તે વખતમાં બ્રાહ્મણ પંડિતો ઘણું હતા. તેઓ સંપ કરીને ઉપાધ્યાયની સાથે વાત કરવાને આવ્યા. અમુક વર્ગને અસર વિના કે અક્ષરો ચર્ચામાં રેલવે નહિ એવી વ્યવસ્થા કરીને વિવાદ આપે. તેમાં બ્રાહ્મણોથી બેલી શકાયું નહિ. અને બ્રાહ્મણે ના કહેવાથી ઉપાધ્યાયએ અમુક વર્ગોને દોડાર કેટલાક કલાક પયન સંભાષણ કર્યું તેથી બ્રાહ્મણે ધન્યવાદ આપવા લાગ્યા, શ્રીમદ્ ઉપાધ્યાય ખંભાતથી વિહાર કરીને કાવી ગંધારની યાત્રા કરીને પાદરા થઈ - છાણી ગયા. શ્રીમદ્ દર્શનના શાસ્ત્રમાં મહા વિદાન હતા. તેથી શ્રીમદ્ રાણી ગામમાં સર્વ ધર્મના વિધાનની સાથે શાસ્ત્રાર્થ કરતા હતા. તેઓ થાપનાચાર્યની વિહાર. ઠવણીના ચાર છે કે ચાર વજાઓ રખાવતા હતા. તેને સાર એ હતા કે ચારે દિશાના કોઈપણ પંડિત હેય તે મારી સાથે શાસ્ત્રાર્થ કરે. અને જે શાસ્ત્રાર્થ કો નહિ કરે તે ચારે દિશાના દેશોના પંડિત જવાયા છે એમ નથી સમજવામાં આવતું. તે વખત છાણીમાં એક વૃદ્ધ શ્રાવિકા રહેતી હતી. તેણે ઘણા સિદ્ધાંતનું શ્રવણ કર્યું હતું. અને તેની ધર્મચર્ચાના પ્રશ્નના નિવેડામાં સલાહ લેવામાં આવતી હતી. પેલી વૃદ્ધ શ્રાવિકા ઉપાયાયજીનું વ્યાખ્યાન સાંભળ્યું, અને તે બહુ આનંદ પામી. વૃદ્ધ શ્રાવિકાના મનમાં એ વિચાર આવ્યું કે ઉપાધ્યાયજી નાનના અહંકારથી વણીમાં વિજાઓ રખાવે છે તે ! રીવાજ નથી. માટે તેને દૂર કરાવે છે. આમ વિચારી બીજે દીવસે તે ઉપાધ્યાયજીને વિધિપૂર્વક વંદન કરીને, પશ્ચાત તેમની આજ્ઞા માગીને પુછવા લાગી કે, ગૌતમસ્વામીની વણીમાં કેટલી ધ્વજાઓ હશે ? ઉપાધ્યાય વૃદ્ધ શ્રાવિકાને પુછવાને ભાવાર્થ સમજી બન્યા અને વણીમાંથી ધ્વજાઓ દૂર કરાવી. આ કિંવદન્તીમાંથી સાર એટલો લેવાને છે ઉપધ્યાયજી સત્યને સ્વિકાર કરવામાં અને પોતાનું આચરણ અયોગ્ય હોય તેને ત્યાગ કે રવામાં કેટલા ઉધમશીલ હતા તે આટલા દાખલાથી દેખાઈ આવે શ્રીમદ્દ જુદે જુદે છે. છાણીથી વડોદરા, મીયાગામ અને ભરૂચ થઈ તેઓ અરત અને સ્થળે વિહાર. * રાંદેર સુધી વિહાર કરતા હતા. વીસમા મુનિ સુવત સ્વામીનું સ્તવન તેમણે ભરૂચમાં બનાવ્યું હતું, એમ તે સ્તવનના ઉગારોથી માલુમ પડે છે. સુરતમાં પન્યાસ સત્યવિજય અને જ્ઞાનવિમળમુરિને સમાગમ થયે હતો. તેઓનો વિહાર ઉપાધ્યાય વિનયવિજયની સાથે પણ થતો હતો. જ્ઞાનવિમળમૂરિને તે વખતના તપાગચ્છની આચાયની સાથે સારા સંબંધ નહોતા, અને તેઓ કેટલીક બાબતમાં આચાર્યથી જુદા વિચારતા હતા. એમ For Private And Personal Use Only
SR No.008685
Book TitleYashovijayji Jivan Guj Sahitya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy