SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮). છે. પશ્ચાત વરાહમતિ વગેરેની સાથે તે મૂર્તિને વાવમાંથી કાઢી ત્યાં પધરાવ વામાં આવી છે; તેના પર સં. ૧૩૧૨ ની સાલનો લેખ છે તેથી ચિંતામણિ વગેરે દેરાસરની પ્રાચીનતાને ખ્યાલ આવી શકે છે. વરાહસ્વરૂપની મૂર્તિ કસોટીના પથરના જેવી હોય એમ લાગે છે તેથી તેની પરીક્ષા કરવાની જરૂર છે. વરાહ સ્વરૂપના મંદિરમાં દેઢસો વર્ષ લગભગના બુરજ કરેલા લાગે છે. મહાલક્ષ્મીનું મંદિર સં. ૧૮૫૫ ની સાલ પછીનું બનેલું છે. ખેડીયારનું મંદિર મહાલક્ષમી પછી બનેલું છે. ભાટવાડામાં-લક્ષ્મીનારાયણ મંદિર છે. બારોટ વહાલા મોકમે સં. ૧૮૫ર માં લક્ષ્મીનારાયણનું મંદિર બનાવ્યું છે. બારોટ વહાલા મેકમને ઈડરના રાવ તરફથી રૂડું અને ડેમઈ એ બે ગામ મળેલાં હતાં. બારોટ વહાલા મોકમે સં. ૧૮૫૫ માં મસેશ્વર મહાદેવનું મંદિર તથા તે પાસેની વાવ બંધાવી. સં. ૧૯૨૨ ની સાલમાં ખાખચેકનું ખાત મુહૂર્ત કર્યું અને સં. ૧૯૩૦ માં બારોટ ભાઈબા ઘેમરસિંહે ખાખચેકની પ્રતિષ્ઠા કરી. બારોટ ભાઈબા ઘેમરસિંહ જશાજીને ઇડરના રાવ તરફથી રૂડું, ડેમઈ એ બે ગામમાં પાંતી મળી. જોધપુરના રાજા તરફથી બુકીયું તથા સયાટ એ બે ગામ બારોટ ભાઈબા ઘેમરજીને તથા વાઘજી ઘેમરછને મળેલાં હતાં. વાઘજી ઘેમરમાં બારોટ ત્રિકમ વાધજીનું કુટુંબ ગણાય છે. હનુમાનનું મંદિરબારોટઆરત અમુલેખે સં. ૧૮૩૦ લગભગમાં બંધાવ્યું. મસીયા મહાદેવના રસ્તામાં બારોટ ભાઈબા ઘેમરજીએ સં. ૧૯૨૨ માં અંબિકાનું દેરું બંધાવ્યું. ચિંતામણિના દેરા પાસેનું અવધુત મંદિર તથા જાગાનું મંદિર એ બે મંદિરને બારોટ દાદર મહેબતસિધે તથા બારોટ અને જેઠા એ બનેએ મળીને સં. ૧૮૪૦ લગભગમાં બંધાવ્યાં છે. ચિંતામણિના દેરાસર પાસે પડેલી ખંડીયેર હવેલી છે તેને બારોટ દામે દર મહોબતસિંઘે બંધાવી હતી. બારોટ ડુંગર ભગવતીએ સં. ૧૮૪૦ લગભગમાં ભાદાણીનું મંદિર બંધાવ્યું હતું. રત્ન તળાવ પાસે લાંડાલના માર્ગે અંબિકાનું મંદિર છે તે સં. ૧૮૫ વાગભગમાં બન્યું છે તથા ૧૯૩૫ લગભગમાં બારોટ વગેરેની મદદથી રામબાગનું મંદિર બન્યું છે. વેવા સણમાં ગણશની સાલમાં પ્રાયઃ કૃષ્ણમંદિર બન્યું છે. દોશીવાડ માં કૃષ્ણમંદિર સં. ૧૮૮૦ લગભગમાં મંદિર બન્યું છે. સં ૧૮૫૭ ની સાલમાં કાશીપરૂ વસ્યું. દક્ષિણ કાશીનાથ દિવાનના નામથી કાશીપરૂ વસ્યું તેના લેખ વખારીયા મનસુખ હરિચંદ પાસે છે. દક્ષિણ દિવાન કાશીનાથજીએ For Private And Personal Use Only
SR No.008683
Book TitleVijapur Vrutant
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy