SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દરેક કામમાં વસતિ ઘટે છે તેમાં સર્વ કરતાં જૈન કોમમાં વિશેષ વસતિ ઘટી છે. વિજાપુરની જૈન કોમમાં હજી સુધી બાલલગ્નનાં પાપ યજ્ઞ પ્રત્યે કરે છે અને તેથી જેની વસતિમાં, સત્તામાં, વ્યાપારમાં, બળમાં પાયમાલી વધતી જાય છે. વિજાપુરની જૈનમ સવેળા નહિ ચેતશે તે ભવિષ્યમાં વિજાપુરના જૈનોની ઘણી પડતી થશે અને અન્ય કામની સત્તા નીચે કચરાવાનું થશે. વિજાપુર અને વિજાપુરની આસપાસના ગામોના જૈનેમાં ધાર્મિક તથા વ્યાવહારિક કેળવણીની ઘણું ન્યૂનતા છે તેથી ભવિષ્યમાં હાલના જેવી જેનોના હસ્તમાં વ્યાપારસત્તા રહેવી મુશ્કેલ છે માટે જેનેએ સવેળા ચેતીને આગળ વધવું જોઈએ, હાલના જમાનામાં જે કેમ પાછળ પડે છે તે દાસત્વકેટિપર રહેવાની છે. વિજાપુરના જેમાં બુદ્ધિબળ, શારીરિકબળ, સં૫, હિમ્મત, સમયસૂચકતા, ધર્મશ્રદ્ધા વગેરેની ખામી છે. હાલને જમાને સમજવાની તેમનામાં પૂર્ણ બુદ્ધિશક્તિ પ્રાયઃ મોટા ભાગે જાગ્રત થઈ નથી. ગૃહસ્થો પોતાનાં બાળકોને હાની ઉમરમાં પરણાવીને સર્વ બાબતમાં નિર્બલ બનાવી દે છે, હજુ પણ જે આ પ્રમાણે ચાલશે તે વિજાપુરની કીર્તિને કલંક લગાડનારી પ્રજા ઉત્પન્ન થવાનો સંભવ રહે છે. આ વિશ્વમાં બળ તેનો ન્યાય છે. જે જૈનકોમ નિર્બલતાને નાશ કરવા અપ્રમાદી નહીં બને અને વહેમરૂઢી ઘેલી બની રહેશે તે પિતાના હાથે પિતાને નાશ કરશે. વિજાપુરના જૈનમાં કેળવણી, સંપ, શક્તિને પ્રચાર થવાની તથા હાનિકારક રીવાજોને નાશ થવાની અત્યંત આવશ્યકતા છે. પૂર્વના કરતાં હાલના વિજાપુરના જૈનાએ ઘણું ખાયું છે. શાસનદેવની કૃપાથી તેઓ સવેળા જાગ્રત થાઓ. વિજાપુરમાં દોશીવાડામાં અને માલીવાડામાં વિદ્યાશાળામાં સાધુઓ ઉતરે છે. પોતાના ગુરૂના ઉપદેશ પ્રમાણે જે તેઓ ઉન્નતિના હેતુઓને અવલબે તે જરૂર તેઓની ઉન્નતિ થાય. વિજાપુરમાં જૈન જ્ઞાન ભંડાર, એક લાયબ્રેરી અને એક પાઠશાળા છે. દેશીવાડા અને ભાલીવાડાના ઉપાશ્રયમાં માથ્વી એ ઉતરે છે. તેઓ શ્રાવિકાઓને ઉપદેશ બાપે છે હાલ . કોમ પછળ પડે અને અસલની વાત પ્રાપ્ત કરે એવા જૈન સાધુઓએ અને સાધ્વીઓએ ઉપદેશ દેવો જોઇએ. જે એ પ્રમાણે ઉપદેશ નહિ દેવામાં આવે તે ભવિષ્યમાં જૈનધર્મગુરૂઓની પડતી થવાની. જૈનોની સંખ્યામાં વૃદ્ધિ થાય એવા ચાંપતા ઉપાય લેવાની જરૂર છે. પરસ્પર જૈનો એક બીજાને મદત આપવામાં સર્વસ્વ અ ણ કરે એવી ઓપદેશક પ્રવૃત્તિ અંગીકાર કરવી જોઈએ. જૈનમ મહાજન તરીકે ગણાતી આવી છે. પરંતુ હવે તેને ચેતીને સર્વ For Private And Personal Use Only
SR No.008683
Book TitleVijapur Vrutant
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy