SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રર ) ઉપરના દેરાસરમાં જે પ્રતિમાઓ છે તેમાંની કેટલીક પ્રતિમાપરના લેખે ત્રટક, ભુંસાઈ ગયેલા છે. શ્રી ઋષભદેવના દેરાસરમાં સં. ૧૨૬૦ ની સાલની જૂની પ્રતિમા પર લેખ છે તે ભુંસાઈ ગએલ છે તેથી તે લેખ બરાબર વાંચી શકાતું નથી. સં. ૧૨૬૦ અને સં. ૧૩૩૦ એ બે લેખો જૂના છે. પ્રાચીન મહાવીર પ્રભુનું દેરાસર નષ્ટ થયું તે દેરાસરની પ્રતિમા પિકી સં. ૧૨૬૦ વાળા પ્રતિમાને લેખ હેય એમ અનુમાન કરાય છે. પદ્માવતીનું દેરાસર પ્રાચીન છે. બારોટ અને પરમારોના વહીવંચા હાલ વડોદરામાં સુલતાનપરામાં રહે છે તેમની વહીમાં પ્રાચીન પદ્માવતીના દેરાસરની પ્રસિદ્ધિ લખેલી છે. બ્રહ્મભટ્ટ અથવા બ્રહ્મભટ્ટારક શબ્દને અપભ્રંશ બારોટભાટ શબ્દ થયેલ જણાય છે પદ્માવતીના દેરાસર નીચે પશ્ચિમ તરફ ભેયરૂં છે. તેમાં અસલ પદ્માવતી માતા હતાં અને સરસ્વતી માતા પણ ભયરામાં હતાં. કેટલાંક સૈકા પછી તેમને ઉપર સ્થાપવામાં આવ્યાં છે તેમ વૃદ્ધ પુરૂષોની કિંવદન્તીથી અવબોધાય છે. તેની હકીક્ત પૂર્વે જણાવી છે. પ્રથમ વિજાપુરની સ્થાપના થઈ ત્યારથી પદ્માવતી, ચિંતામણિપાર્શ્વનાથ અને મહાવીર પ્રભુનું મંદિર હતું. શ્રી પદ્માવતીનું મંદિર અનેકવાર સમરાવેલું છે તે હાલની સ્થિતિમાં છે. પાર્શ્વનાથનું અને શ્રી મહાવીર પ્રભુનું મૂલ અસલ મંદિર નષ્ટ થએલું છે. ( અલ્લાઉદીન વગેરે મુસલમાને બાદશાહના હુમલા વગેરેથી) વિજાપુરમાં પદ્માવતીના દેરાસર લગભગની શ્રી સરસ્વતીની મૂર્તિ છે તેને બીજીવાર શ્રીવિદ્યાનન્દસૂરિના સમયમાં ભેંયરામાંથી ઉપર સ્થાપના કરેલી હોય એમ સંભવે છે. ચિંતામણિપાર્શ્વનાથની મૂર્તિને મૂળ મંદિર નષ્ટ થયા બાદ ત્રીજીવાર સમરાવેલા વિજાપુરમાં ભાટવાડામાં ભાટના ઘરમાં ઘર દેરાસર કરી મૂકવામાં આવી હતી. તે બસે વર્ષ સુધી ઘર દેરાસરમાં પબાસણમાં વિરાછત રહ્યા બાદ મરાઠાના રાજ્યકાલની સ્થાપનાના પ્રારંભમાં છે તે પૂર્વે મેટું દેરાસર કરવાને પ્રારંભ થશે. પશ્ચાત હાલ સંપૂર્ણ દેરાસર થએલું અવલકવામાં આવે છે. ચિંતામણિ પાર્શ્વનાથના હાલના દેરાસર નીચે ભયરૂં છે. જૂની પટ્ટાવલીના આધારે વિ. સં. ૧૨૮૦ લગભગમાં વસ્તુપાલ અને તેજપાલે ચિંતામણિપાર્શ્વનાથના મંદિરને જીર્ણોદ્ધાર કર્યો ત્યારે તે દેરાસર તેની પૂર્વે હજાર વર્ષ હોય એમ અનુમાન કરતાં મૂળ વિજાપુર જ્યારે વસ્યું ત્યારે પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું એમ સિદ્ધ થાય છે. સંવત ૧૮૬૬ માં મુંબાદશીનું દેરાસર બનેલું છે. કબા ખૂમાદશીના વંશમાં હાલ, ડાહ્યાભાઇ દલસુખ, ભેગીલાલ તલકચંદ, For Private And Personal Use Only
SR No.008683
Book TitleVijapur Vrutant
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy