________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
પ્રભુએ કહેલી પચમહાવ્રતરૂપ દીક્ષાને અંગીકાર કરીને મારાપુપણું પ્રાપ્ત કરવા સમર્થ થાય છે.
પુરૂષો અને બહેનોએ ભાવશ્રાવકપણું પ્રાપ્ત કરવા સદગુરૂની ઉપાસનાપૂર્વક ઉપયુક્ત ગુણેને હદયમાં પ્રગટાવવા જોઈએ. સાધુની ટીકાઓ ન કરતાં ગ્રહસ્થ જૈનેએ શાસ્ત્રમાં કહ્યા મુજબ ભાવશ્રાવકના ગુણોને પ્રગટાવવા ખરેખર પિતાના અધિકાર પ્રમાણે પ્રયત્ન કરવો જોઈએ. ભાવશ્રાવકેજ સાધુ થવાના અધિકારી છે. ભાવશ્રાવકો જેવા ઉચ્ચ થશે, તેવાજ સાધુઓ ઉચ્ચ બનવાના છે. પિતાનામાં જે જે ગુણે ન પ્રગટ્યા હોય તે તે સતત ઉદ્યમથી પ્રગટાવવા. શાસ્ત્રમાં શ્રાવકોને શ્રમણોપાસક કહ્યા છે. સાધુઓની જે સેવાભકિત કરનારા જે ભકત હોય તેને શ્રમણોપાસક (શ્રાવક) જાણવા. સાધુને વેષ પહેરીને સાધુના પંચમહાવ્રત પાળ્યા વિના ભાવસાધુપણું પ્રાપ્ત થતું નથી એમ શ્રાવકેએ સ્મરણમાં રાખવું જોઈએ. શ્રાવકોએ પિતાના અધિકાર પ્રમાણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે વર્ગનું આરાધન કરવું જોઈએ. અત્યંત પ્રેમ અને ઉત્સાહથી શ્રાવકધર્મ પ્રાપ્ત કરવા માટે શ્રી સદ્ગુરૂની દરરોજ ઉપાસના કરવી જોઈએ. ચક્રવર્તિ શહેનશાહ અને ઈન્દ્રને વિનય જે કરવામાં આવે છે તેના કરતાં અધિક લોકોત્તર વિનયથી સદગુરૂની સેવાભક્તિ કરવી જોઈએ. પિતાની હદનું કદી ઉલ્લંઘન ન કરવું જોઈએ. શ્રી સદગુરૂની ઉપાસના કરવામાં ખામી ન રાખવી જોઈએ. ઉત્તમ એવા શ્રાવકો આ પ્રમાણે વર્તતા છતા સર્વવિરતિ ગુણસ્થાનક પ્રાપ્ત કરવાને ભાગ્યશાળી બને છે અને અનંત સુખમય પરમાત્મપદ પ્રાપ્ત કરે છે. શું રાન્તિઃ મુબઈ વાલકેશ્વરસં. ૧૮૬૭ ચૈત્ર વદી ૫.
- -
સ્ટોલ
શ્રાદ્ધ જે પૈ, જુના શ્રાદ્ધક્ય વત્તા मोहमय्यां स्थितिं कृत्वा, बुद्धयब्धिमुनिना मुदा ॥१॥ इति श्री परम गुरु मुखसागर महाराज शिष्य मुनि बुद्धिसागर विरचितश्राद्धस्वरूप ग्रंथः समाप्तः ॥
ૐ શાન્તિઃ શાન્તિઃ શારિર
સમાસ
For Private And Personal Use Only