SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ ભૂત ગૃહાવાસને તજીને સવરમયી દીક્ષાને અંગીકાર કરીશ. કયારે હું શરીરપર પણ મમત્વ ભાવરહિત થયે છતા ગુરૂના ચરણુની સેવા કરતાતે નિર્દોષ આહારથી શરીર પાષીને નિવૃત્તિ સાધક બનીશ. કયારે હું સુવર્ણની પેઠે મારા આત્માને ઉજ્જવલ તપ ચરણકરણ રૂપ અગ્નિમાં નાખીને સોંપૂર્ણ મલથી રહિત કરીશ, આવી ઉત્તમ દીક્ષાના મનેરથની ભાવના ભાવતા થકા પોતાના અધિકાર પ્રમાણે દીક્ષા લેવાના ઉપાયા કરે છે. પાંજરામાં પૂરેલા પંખીની માફ્ક ભાવશ્રાવક સ ંસાર ગૃહવાસમાંથી છૂટવાના ખરા જીગરથી અનેક ઉપાયા કરે છે, તે ભાવશ્રાવક વેશ્યાની માફક ઉપરને પ્રેમ દેખાડીને કુટુંબનું પ્રતિપાન કરે છે તેથી તે ખરી રીતે જોતાં ઉદાસીનપણે સાંસારિક ક્રિયાને કરતા જાય છે. જેને ચારિત્રની સાથે ચિત લાગ્યું છે તેનું પ્રાણા તે પણ તેનાથી ચિત છૂટતું નથી. ભાવશ્રાવક દીક્ષા લેવાને માટે તલ્પી રહે છે, અનેક લાલચેાથી કાઇ તેને સંસારમાં સુખ દેખાડે તે પણ તેનુ ચિત્ત તેમાં ચોંટતું નથી. જેમ જેમ સંસારમાં રાગના હેતુઓને તે વિશેષતા દેખે છે તેમ તેમ તેનામાં વૈરાગ્યભાવ સ્ફુરત જાયછે, ભાવશ્રાવકના મનમાં દીક્ષા લેવાની અત્યંત ઉત્કંઠા રહે છે. જેના મનમાં દીક્ષા લેવાને ભાવ નથી તે શ્રાવક તરીકે ગણી શકાતા નથી. જેના મનમાં અર્નિશ સાધુની દીક્ષા લેવાના ભાવ વર્તે છે અને આજ અગર કાલ દીક્ષા અંગીકાર કરીશ. આવી ઉત્તમ ભાવના ભાવવાવાળાને ભાવ શ્રાવક તરીકે જાણુવે. આવા ઉત્તમ શ્રાવક. વખત આવે છતે જેવું મનમાં તેવું આચારમાં મૂકવાને કદી ચૂકતા નથી. અર્થાત્ તે ભાગવતી દીક્ષાને અંગીકાર કરેછે. આવે! ઉત્તમ ભાવશ્રાવક ખરેખર સાધુ થવાને મેગ્ય છે સત્તરમા ગુણને પ્રાપ્ત કરીને અનેક શ્રાવકાએ સાધુપદ અંગીકાર કર્યું -કરે છે અને ભવિષ્યમાં કરશે. નરનારીઓએ સત્તરમાં ભાવ શ્રાવકના ગુણને પ્રાપ્ત કરવા ખરા અંતઃકરણથી પ્રયત્ન કરવા જોઇએ. આ પ્રમાણે ભાવાવèાના સત્તર ગુણાનું સ્વરૂપ જાણવું. અત્ર કોઇ પૂછશે કે સ્ત્રી અને ઇન્દ્રિય વિષય એકજ બાબત છે. અરકત દ્રિષ્ટ, મધ્યસ્થ અને અસંબદ્ધ, એ ત્રણ પણુ એક બાબત છે તથા ઘર અને ઘરવાળા પણુ એકજ બાબત છે એમાં કાંઇ તફાવત દેખાતા નથી. માટે પુનરૂકત દોષ કેમ ન ગણાય ? તેના ઉત્તર કે એ વાત સાચી છે, પણ વિરતિ વિચિત્ર હાવાથી એકજ વિષયમાં પિરણામ નાનાપણું છે. એક પરિણામના પણ જુદા જુદા વિષયભેદ પડે છે, માટે સર્વ ભેદને નિષેધ For Private And Personal Use Only
SR No.008660
Book TitleShravaka Dharma Swaroop Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy