________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના.
શ્રાવકના એકવીશ ગુણે ઉપર શ્રમ બુદ્ધિસાગર છે એ “શ્રાવકધર્મ સ્વરૂપ ” ના પ્રથમ ભાગમાં વિવેચન કર્યું છે તેમ આ બીજા ભાગમાં ભાવશ્રાવકના સત્તર ગુણવિષે ધર્મરત્ન પ્રકરણના પાઠ પૂર્વક વિવેચન કર્યું છે.
ખરા શ્રાવક કણ કહેવાય ? ભાવશ્રાવક એટલે શું ? એ આ ગ્રથને મુખ્ય વિષય છે, ઉપરાંત ગુરૂશ્રીએ તેમાં નીચલી બાબતે ગ્ય વિવેચન પૂર્વક સમજાવી છે.
શ્રાવક અને સાધુ મુનિરાજોને સંબંધ કે હેય છે, ઉત્તમ શ્રાવકે (માબાપ સમાન, ભાત સમાન, મિત્ર સમાન, શોકય સમાન, એ) ચાર પ્રકારમાંથી ક પ્રકાર સેવવો જોઈએ, જે પ્રકાર ઉપયોગી અને આદેય છે, વિરતિ અને અવિરતિ શ્રાવકનો તફાવત, શ્રાવકના ભેદ, ભાવશ્રાવક એટલે ખરા શ્રાવકનાં મુખ્ય લક્ષણો, બાર વૃતનાં નામ, ઉપદેશ કણ આપી શકે, વાચવા માટે કેવા જીવો અયોગ્ય છે, ઉપસર્ગના પ્રકાર, ભાવશ્રાવક કેવા સ્થાને રહે, કેવો વેશ પહેરે, કેવાં વચને વદે, કેવા ઘરમાં પ્રવેશે, ક્યા કાર્યો ન કરે, સ્વાધ્યાય આદિ ક્રિયા મુનિરાજે પાસે કેવી રીતે કરે, ગુરૂ પાસે કપી રીતે બેસે, અને કેવા વિનયે પુછે, ઉપજતા વિકલ્પોને કેવી રીતે સમા, આજીવિકા કેવી રીતે ચલાવે. ભાવશ્રાવકને મુખ્ય પાંચ પ્રકારની કઈ રૂચિ હોય, જીન વચન ઉપર કેવી પ્રીતિ હોય, સાધુ મુનિરાજે ઉપર કેવી ભકિત અને શ્રદ્ધા હેય, ક્રિયાગત છ લિગો ક્યાં, વગેરે બાબતે આ ગ્રંથમાં આવી છે. દરેક વિષ એવા છે કે ગ્રન્થના ગ્રન્થ લખાય, પણ આ નાને ગ્રન્થ હર વખત વાંચી મનન કરી શકાય તે હેતુથી ગુરૂવ આ પ્રકારે રચના કરી છે.
ઉપલી બીનાએ સહ ભાવશ્રાવકના સત્તરગુણ ઉપર વિવેચન આ ગ્રંથમાં છે. તે દરેક ગુણ ખો શ્રાવકમાં હોવા જ જોઈએ એમ ધ્યાન પૂર્વક મનન કરનાર પોતે જ નિશ્ચય કરશે, તે સાથે તેવા ગુણોએ યુકત હોય તેવો શ્રાવક સાધુપદ ગ્રહણ કરે તે કેવું સામર્થ્ય દાખવી શકે, કેવી ઉજવલતા ધારી શકે, તે સહેજે સમજાય તેમ છે. ખરા શ્રાવકે સાધુ થવાની
For Private And Personal Use Only