SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘર્મમાં સ્થિર કરી શકતા નથી, અને પોતે પણ ધર્મમાં સ્થિર રહી શકતા નથી. જે ગીતાર્થ ગુરૂએ સમજાવ્યા છતાં પણ પકડેલા હઠને છેડે નહી, તે સ્થાણુ સમાન શ્રાવક જાણવો. તે શ્રાવક અભિમાની હોવાથી પિતાની હઠ બેટી છે; એમ જાણો છો પણ છોડતો નથી. તેવો શ્રાવક ગુરૂ પાસેથી સત્ય તત્વને વિશેષતઃ ગ્રહણ કરવા સમર્થ થતો નથી. તેવો શ્રાવક મુનિ ગુરૂપર દેવ બુદ્ધિ ધારણ કરતો નથી, પણ ગુરૂ પાસેથી વિશેષ લાભ મેળવી શકવા સમર્થ થતું નથી. કોઈ વખત તેવો શ્રાવક કદાપિ હઠને ત્યાગ કરી, પિતાની ભૂલ કબુલ કરી ગુરૂની પાસેથી વિશેષ લાભ મેળવવા પણ સમર્થ થાય છે. કારણ કે, તે સાધુઓ પર તે હેપ કરતો નથી, તેથી ઉચ્ચ માર્ગ પર ચડવાને એગ્ય બને છે. ગુરૂ મહારાજ સાચું કહે તે પણ જે શ્રાવક કહે કે તમે તે ઉન્માર્ગ બત છે, નિહવ છે. મૂઢ છે. મન્દધર્મી છે. એ રીતે ગુરૂને ખરડે તે ખરંટ સમાન શ્રાવક જાણે. જેમ વિષ્ટા વગેરે અ શુચિદ્રવ્યને અડનાર (સ્પર્શનાર) ને તે ખરડે છે. તેમ જે શ્રાવક પિતાને શિખામણ આપતા એવા ગુરૂને ખરડે તે ખરંટ સમાન શ્રાવક જાણુવા. ખરંટ સમાન શ્રાવકે ગુરૂને પાખંડી કહીને બોલાવે છે. આ તો ઉસૂત્ર ભાષક છે. સાધુ ગુરૂ નથી પણ કુગુરૂ છે એની સંગતિ કઈ કરશો નહિ એમ બોલે, લખે, છપાવે ઇત્યાદિ પોતાનાથી બનતું અશુભ કર્યા વિના ચુકતા નથી. તેવા શ્રાવકે લેકોને એમ સમજાવે છે કે, એવા ગુરૂની સંગત કરશે તે પાપના ભકતા બનશે, જ્યાં ત્યાં સાધુ ગુરૂની હેલના કરતા ફરે છે સાધુ ગુરૂને માનનારાઓને ભમાવે છે અને કહે છે કે, તમે એની સંગતિ છોડી દે. એ સાધુતો મહાત છે. ખરંટ જેવા શ્રાવકે સાધુ ગુરૂની રૂબરૂ પણ મહામોહનીય કર્મ બંધાય તેવાં વચનો ઉચ્ચારે છે, અને છતાં વા અછતાં આળ, માથે ચઢાવીને ગુરૂને ખરડે છે. ગુરૂ શિખામણ તેવા ખરંટ શ્રાવકોને આપે છે તો ઉલટ તેઓ “વાનરે જેમ સુધરીને માળો વિખેરી નાંખ્યો તેની પેઠે.” સાધુઓનું મૂળમાંથી ખોદી કાઢવા જરા પણ બાકી રાખતા નથી. આવા ગુરૂતે સર્પ પિશાચ કરતાં ભૂડા છે, મહા પાપી છે એમ બોલી કલેશ કરે કરાવે. નિંદા કરે, કરાવે. દેવ કરે. સાધુઓનું બુરૂ કરવા અનેક પ્રપંચો રચે તેવા ખરંટ અને શકય સમાન શ્રાવકે, નિશ્ચયથી મિથ્યાત્વી જાણવા તે પણ તે જિન મંદિર દર્શન વગેરે ધર્મની કેટલીક ક્રિયાઓ કરે છે; તેથી વ્યવહારથી શ્રાવક કહેવાય છે. પણ શક્ય અને ખરંટ જેવા શ્રાવકે, માર્ગાનુસારીપણું પામવા For Private And Personal Use Only
SR No.008660
Book TitleShravaka Dharma Swaroop Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy