________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रावकधर्म.
શ્રાવક નામ માત્રમાં પણ કેટલું રહસ્ય છે? શ્રાવક નામ ધરાવનારમાં વ્યાવહારિક અને નીતિના કયા કયા ગુણો અવશ્ય લેવા જોઈએ? મુખ્ય આચારે કયા છે ? તે આ લઘુગ્રન્થ ભારફતે દરેક સ્ત્રાવ સદા યાદ રાખવાની જરૂર છે.
શાસ્ત્રકારો કહે છે કે જે શ્રાવકને સાધુ દશા પ્રાપ્ત કરવાની અહ ર્નિશ ભાવના થતી નથી, તેણે શ્રાવકપણું કામ કર્યું છે એમ કહી શકાય જ નહી. શ્રાવકધર્મ જાણ્યા વિના અને જાણે આચારમાં મૂકયા વિના શ્રાવકપણું તો શું પણ મનુષ્યપણું પણ નિરર્થક છે, માટે શ્રાવક કુળમાં જન્મી પિતાનું સ્વરૂપ ભુલી જંજાળમાં પડતાં બચવા માટે દેવેંદ્રસુરિ રચિત શ્રીધર્મરન પ્રકરણ ગ્રન્થમાં વિસ્તારથી વર્ણવેલ શ્રાવકસ્વરૂપના એકવીરા ગુણ કંઠસ્થ રહે તે માટે તે ઉપર ટુંકમાં વિવેચન કરવામાં આવ્યું છે.
ધર્મના અર્થી શ્રાવકોએ (મનુષ્ય માત્રે) વધુ નહી તે એકે એક ગુ. ણને અવશ્ય પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. શુદ્ધ ભૂમિકામાં ચિતરવા ધારેલ ચિત્ર શુદ્ધ અને પવિત્ર થાય છે, તે માટે અધિકાર પ્રમાણે ગુણ અવશ્ય મેળવવા જોઇએ.
કદાચ દરેક ગુણ ન પ્રાપ્ત થઈ શકે તો થોડા કે અમુક પ્રમાણમાં પ્રાપ્ત થયા હોય કે થતા હોય તે તે કોઈ રીતે નુકશાનકારક નથી, પણ આ ગ્રન્થમાં જણાવેલા ગુણોથી વિપરીત વર્તન થવું યા કરવું, એ તે શ્રાવકપણને ઘટતું નથી એમ પ્રત્યેકે સમજવું.
શ્રી રાતઃ રૂ.
For Private And Personal Use Only