________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૧૧
wwww
પ્રિયતાના શબ્દોનું શ્રવણ કરવા જરા માત્ર કાનને મહેનત આપવી નહીં.' દાન, વિનય, સદાચારમાં પ્રવર્તવું એ મહારું કર્તવ્ય છે અને એ કરવું જોઈએ, એમ નિશ્ચય કરી પ્રયત્ન કરવો. એમ તેની પ્રવૃત્તિથી તે લોકમાં પ્રિય થઈ પડે છે અને તે ધર્મરત્નને યોગ્ય થાય છેજ. સખાવતથી પ્રત્યેક પ્રાણી સહેજે વશીભૂત થાય છે. દાન ક્રિયાથી વૈરે ભૂલાય છે, દાનથી અન્ય મનુષ્યો બંધુતુલ્ય થાય છે, માટે દરરોજ દાન કરવું. લોક પ્રિય મનુષ્યથી સમ્યગદષ્ટિ છે પણ ખુશી થાય છે અને સ્વપરના આત્માની ઉન્નતિ કરવા તે સમર્થ થાય છે. લોકપ્રિય થએલામાં પ્રાયઃ ક્રૂરતા રહેતી નથી અર્થાત તે અદર બને છે તે હવે જણાવે છે.
પાંચમો ગર ગુજ.
कूरो किलिट्ठभावो, सम्मं धम्म न साहिउं तरइ ॥ इय सो न इत्थ जोगो, जोगो पुण होइ अकूरो ॥ ५ ॥
ક્રર ( કિષ્ટિ) પરિણમી હોય છે તે ધર્મને સમર્થપણે સાધવા સમર્થ થઈ શકતો નથી. તેથી તે ક્રૂર પુરૂષ અત્ર શુદ્ધ ધર્મમાં યોગ્ય નથી, પણ જે અદ્ભર છે તે જ યોગ્ય જાણો. - ઈર્ષ્યા, કલેશ, આદિથી ક્લિષ્ટ પરિણામવાળો હોય તે સમ્યગુરીયા ધર્મ સાધવાને યોગ્ય થઈ શકતો નથી.
વર ક્રરતારૂપ છે. ક્રોધથી વૈર ઉત્પન્ન થાય છે. વેરી મનુષ્યો દાવ સાધીને પ્રતિપક્ષીઓનાં મસ્તક ઉડાવી દે છે. વૈરથી સામાના ઉપકાર તરફ લક્ષ રહેતું નથી. વૈરી વિશ્વાસને વાત કરે છે. વૈરથી સંસારમાં ઘણું કાળ પર્યત છે પરિભ્રમણ કરે છે. વૈરથી મનુષ્યનું હૃદય અશુદ્ધ બને છે અને તેથી તે ધર્મના સંસ્કાર પામવા માટે યોગ્ય બનતું નથી. વૈરવાળો મનુષ્ય, અકર બની શકતો નથી. તેના હૃદયમાં દયાને વાસ હેતો નથી. તેમજ ઈષ્ય અને કલેશથી જેનું હૃદય સંતપ્ત રહે છે, તે ક્રર પરિણામવડે કરહિંસાકર્મ વગેરેમાં પ્રવૃત્તિ કરે છે અને તેમાં પ્રસંગે પિતાને પણ નાશ થાય છે. કિલષ્ટ પરિણુમથી દયાભાવ, ભ્રાતૃભાવ, સર્વ જીવોની સાથે એકતા રાખવી, સર્વ મનુષ્યોના ભલામાં ભાગ લે, વગેરે સન્માર્ગમાં પ્રવૃત્તિ થઈ શક્તી નથી. દ્વેષાદિથી ક્લિષ્ટ પરિણામી મનુષ્ય, દયાનાં ઝરણુંની નદીઓને
For Private And Personal Use Only