SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષ. માટે શિષ્ય કરતાં પૂર્વે માબાપગુરૂજનની પાસે રહી અનુભવ મેળવવા સંબંધી પરીક્ષા કરવી કે જેથી શિષ્યને સંબધે ગુરૂને આનંદ રહે અને અનેક શિક્ષા આપવામાં ઉલ્લાસ રહે, અથવા ગુરૂકુલમાં વાસ કરવા ગ્ય જન શિષ્યપદને અધિકારી થઈ શકે છે. તે પણ ઉપલક્ષણથી અવધવું. ४ दोषदृष्टिरहितः ગુરૂકુલસમુપાસક દોષદષ્ટિને ત્યાગ કરી શકે છે. ગુરૂકુલમાં વાસ કરવાથી દોષદષ્ટિનો નાશ થાય છે અને કૃષ્ણશ્રેણિકની પેઠે ગુણાનુરાગ દૃષ્ટિ ખીલે છે. દોષદષ્ટિને નાશ થાય એવા ગુરૂ પાસે રહેતાં અનેક ગુણે પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી અન્યના દોષો દેખવામાં મન આસક્ત રહે છે અને ગુણે દેખવામાં મન આસક્ત રહેતું નથી ત્યાં સુધી શિષ્ય થવાની યોગ્યતા પ્રાપ્ત થતી નથી. સર્વગુણી પરમાત્મા વિતરાગ દેવ છે. સર્વ જીવમાં દેશો અને ગુણ હોય છે. ગુણોને લેવા અને દોષને ત્યાગવા એ નિશ્ચય થયા વિના ગમે તેવા ગુણને ગુરૂ કરવામાં આવે હૈયે આત્મકલ્યાણ થતું નથી. દોષ દષ્ટિવાળા મનુષ્ય ગુરૂના છતા વા અછતા દોષને દેખી યાતષ્ઠા ભાષણ કરે છે અને તેથી ગુરૂઓ તેઓને નાલાયક માની હૃદય આપતા નથી. તથા લોમાં પણું તેઓની પ્રતિષ્ઠા કીર્તિ વધતી નથી, માટે જેણે દોષદષ્ટિ ત્યાગી હોય છે તેજ ગુરૂને શિષ્ય થવાને અધિકારી બની શકે છે. દોષદષ્ટિથી ગુરૂઓમાં અને અન્યમનુષ્યમાં દોષ દેખાય છે. તેથી સ્વપરને ઉપાધિઓ કલેશ થાય છે. માટે ષષ્ટિને ત્યાગ કરવાની જરૂર છે. જેણે દેષદષ્ટિને ત્યાગ કર્યો તે શિષ્ય થઈ શકે છે. અહંભમતાદિષપરિહરણશીલ સ્વભાવવાળો, દેષ દષ્ટિનો ત્યાગ કરવા સમર્થ બને છે, અહમમતાદિદોષરહિત મનુષ્ય દેષ દષ્ટિને ત્યાગ કરી શકે છે. ५ अहंममतादिदोषपरिहाणशील: અહમમતાદિ દેને ત્યાગ કરવાના સ્વભાવવત મનુષ્ય, ગુરૂની સેવા ભક્તિ કરવા લાયક બની શકે છે. જેનામાં અહંતા મમતા છે તે શિખવવા યોગ્ય નથી. અહં મમતાના અધ્યાસથી ગુરૂના સપદેશ તરફ રૂચિ પ્રમટતી નથી. ગુરૂના ઉપદેશથી અહંતા મમતાને જે ત્યાગ કરવા આત્મભાવને ધારણ કરે છે તે શિષ્ય થઈ શકે છે, અહં મમતાદિ દોષવાન કદાપિ ગુરૂના For Private And Personal Use Only
SR No.008657
Book TitleShishyopanishad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages59
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy