________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अथ शिष्योपनिषद्.
शिष्यधर्मः
આત્માની શુદ્ધતા પ્રાપ્ત કરવા માટે અધ્યાત્મજ્ઞાન પૂર્વક આત્મચારિત્ર પ્રાપ્ત કરવા માટે તથા પંચમહાવ્રતના પાલનાથે શિષ્યથવાની જરૂર છે. ગુરૂની પ્રાપ્તિ કર્યા પૂર્વે શિષ્યગુણે મેળવવા જોઈએશિષ્યયોગ્યતા પ્રાપ્તિ માટે શિષ્યોપનિષમાં શિષ્યલક્ષણે દર્શાવ્યાં છે તેમાં પ્રથમ શિષ્યનું લક્ષણ દર્શાવે છે. શિષ્ય પ્રથમ આર્ય હોવો જોઈએ. દેશથી આર્ય, ગુણકર્મથી આર્ય, સરકારથી આર્ય બ્રાહ્મણદિ ધર્મથી આર્ય, જ્ઞાનાર્ય, દર્શનાર્ય આદિ અનેક પ્રકારના શુભાર્યોના ગુણેથી વિભૂષિત હોવો જોઈએ. જેનામાં સરળતા શુદ્ધતા છે તે આર્ય છે. જે આર્ય શાસ્ત્રોને માને છે અને તે પ્રમાણે વર્તે છે તે આર્યો છે. અનાર્યનાં લક્ષણે જેનામાં ન હોય અને જેનામાં આર્યતા હોય હેય તે શિષ્ય ગ્ય છે.
२ सभ्यः
સભામાં શોભે વા સભામાં બેસવા ગ્ય સભ્યતા જેનામાં પ્રગટી છે એ સભ્યમનુષ્ય શિષ્ય થવાને લાયક છે. જેનામાં સભ્યતા ન આવી હોય તેને શિષ કરવાથી ગુરૂને આનન્દ મળતું નથી, તેમજ અસભ્યને શિષ્ય કરવાથી ઉલટ તે ઉદ્દેશકારી બને છે. જેનામાં દક્ષતા હોય, ગુરૂ સાથે વર્તઃ વાની વિવેક શક્તિ પ્રગટી હોય, તેનામાં ગુરૂની ચેષ્ટાઓના આશ જાણ વાની શક્તિ આવી હેય, ગુરૂની મરજી સમજી શકતે હોય, જે ગુરૂની પ્રભુતાને સમજવા અધિકારી બન્યા હોય અને જે સભામાં બેસી સભ્ય જનની પરીક્ષામાં સભ્ય તરીકે સિદ્ધ થયો હોય તે શિષ્ય થવાને અધિકારી બને છે. ગુરૂની સાથે સભ્યતાથી વતન જે કરતે હેય, ગુરૂની તબિયત
For Private And Personal Use Only