________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫ )
આત્મજ્ઞાનથી આત્મધ્યાન કરવું જોઈએ. ધ્યાન એ અંતરચારિત્ર છે. ધ્યાનીએ પુનઃ પુનઃ લક્ષ્યમાં આ વાત રાખવાની છે. તે એ છે કે, ક્રોધાદિક પ્રસંગે પણ હૃદયમાં કેધ ધારણ કરવો નહિ. કારણ કે, ક્રોધ કરવાથી પૂર્વ કેડી વર્ષ પર્યત પામેલું ચારિત્ર નષ્ટ થાય છે. यतः जं अज्जियं चरित्तं, देवसूणाएवि पुवकोडीए, तंपि कसायमित्तो, हारेइ नरो मुहुत्तेण ॥ १ ॥
કષાયને છતી શાંત દાંત આત્માની ઉચ્ચકોટિ પ્રાપ્ત કરવી જોઈએ. આત્માનું અનંતસુખનું આચ્છાદન કરનાર કપાય પડદે છે, તેને ભેદીને અનંતસુખના ભેગી થવું જોઈએ. સંકલ્પવિકલ્પની પેલી તરફ આત્માનું નિર્વિકલ્પ સ્વરૂપ છે. સંતપુરૂષે નિવિકલ્પસ્વરૂપને અનુભવ કરી અનંતસુખ પ્રાપ્ત કરે છે.
સાતનયથી અને સપ્તભંગીથી આત્માની સવિકલ્પદશાને અનુભવ થાય છે. આત્માના નિવિકલ્પ સ્વરૂપને અનુભવ તો શબ્દસૃષ્ટિની પેલી પાર છે. સવિકલ્પદશામાંથી નિર્વિકલ્પદશામાં જવાય છે. સવિકલ્પ દશાના બે ભેદ છે, જ્ઞાનવાળી સવિકલ્પદશા અને ત્યાગ કરવા યોગ્ય બીજી અજ્ઞાનવાળી સવિકલ્પદશા. જ્ઞાનવાળી સવિકલ્પદશાના પણ ઘણું
www.kobatirth.org
For Private And Personal Use Only