________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧ ). એના પ્રતાપથી પૂજાય છે, દેવતાએ વૈક્રિયલબ્ધિના પ્રતાપથી ક્ષણમાં અનેક પ્રકારનાં શરીરે કરે છે, આત્મશક્તિયોની સર્વ પૂર્ણતા સિદ્ધભગવાનને હોય છે, પેટીમાં અનેક પ્રકારનાં રત્ન ભર્યા હોય અને તાળું માર્યું હોય અને પેટી ઉપર એમ લખ્યું કે–આ પેટીમાં અમુલ્ય રત્ન ભર્યા છે. એમ સર્વે વાંચી આનંદ પામ્યા. સર્વ જી વિચાર કરે છે કે, અહા ! કેટલું બધું પેટીમાં ધન છે, પણ જ્યાં સુધી તાળું ઉધાધું નથી ત્યાં સુધી કાઈ તે ધનને પ્રાપ્ત કરતું નથી, કોઈ વિચક્ષણ ગમે ત્યાંથી તાળું ઉઘાડવાની કુંચી પ્રાપ્ત કરે અને તાળું ઉઘાડે તો તેને ધન મળે છે. તેમ અત્ર પણ સમજવાનું કે, આત્મારૂપ પેટીમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિર્ય, આદિ અનંતગુણરૂપ રત્ન ભર્યા છે. અજ્ઞાન-મિથ્યાત્વરૂપ આત્મપેટીને તાળું માર્યું છે, ભેદજ્ઞાનની ગમરૂપ કુંચી જે પ્રાપ્ત કરે છે તે તાળ ઉઘાડી આત્મપેટીમાં ભરેલાં રને દેખે છે. પશ્ચાત્ તે કમમેલ નિવારી સગુણરત્નોની શુદ્ધિ કરે છે. તેથી તે અનંતસુખને ભક્તા બને છે, તે સંબધી કહ્યું છે કે
रत्नभरेली पेटी पारखीरे आतमा, ताळा खोलीने धन देखीयु. वैरागी.
www.kobatirth.org
For Private And Personal Use Only