________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મને તે અનંત દુઃખ થાય છે, માટે હવે દયા લાવીને કર્મ મારાથી દૂર જા. તારી સંગતિથી મારા પ્રેમી સજાતીય જીવોપર મેં રાગદ્વેષની બુદ્ધિ ધારણ કરી, રૌદ્રરૂપ ધારણ કર્યું. માટે હે કર્મ ! તમે પ્રસન્ન થઈને દૂર જાઓ, દૂર જાએ, મને મારા જીવેના અન્તપ્રદેશની સાથે આત્મભાવે હળી જવાદો-મળવા દો. અનંત કર્મવર્ગણની રાશિમાં રહેલા એવા મારા જીવને જ્ઞાનથી જાણી શકીશ.
જગતના મારા પ્રેમીજીને તારવાને હું ભાવદયા ગંગાનદીને હૃદયમાં ધારણ કરું છું.
હે જગતના જીવો! ! તમે હવે નિર્ભય રહે, મન, વચન અને કાયાથી પણ તમને નહિ દુ:ખવવા ખરાબ સ્વાર્થનો ત્યાગ કરી મેં પ્રતિજ્ઞા લીધી છે. જગતસ્થિતપ્રેમિસ્વજાતીય આત્માઓ ! તમે મારા હૃદયસ્થિતભાવદયાગંગામાં ઝીલી પવિત્ર બને. તમારી કર્મયોગે પરતંત્રતાવસ્થા દેખી, મને કરૂણું આવે છે. તમારી અનેક પ્રકારે આંતરિક ઉન્નતિ થાઓ, અને તમે સમ્યજ્ઞાનના પ્રતાપે તમારી શુદ્ધ સ્થિતિને પ્રાપ્ત કરે.
હે જગતજી ! ! તમને હવે હું કારુણ્યદષ્ટિથી જ નિહા
www.kobatirth.org
For Private And Personal Use Only