________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अर्पण पत्रिका.
પાદરા વકીલ શા.મોહનલાલભાઈ હિમચંદભાઈ
તમારૂં ગૃહસ્થ શ્રાવક જીવન ઉત્તમ આદર્શ દષ્ટાંતરૂપ છે, તમેએ બાલ્યાવસ્થામાં ઉમંગ, ઉત્સાહ, ખંત, ઉદ્યમ અને ઉત્તમ થવાની આશાએ બાલ્યાવસ્થાથી વ્યાવહારિક કેળવણીના અભ્યાસ શરૂ કર્યો. વડોદરામાં તથા અમદાવાદમાં પિતાના ઓળખીતા. પ્રિય સંબંધીઓને ત્યાં રહીને અભ્યાસ શરૂ રાખ્યો અને યુવાવસ્થામાં જુવાની જાળવી રાખી અને અનેક જુવાનીપણામાં થતા દોષોથી બચી ગયા અને નીતિ સદ્દગુણમાં કાયમ રહી તમોએ તથા વકીલ નંદલાલભાઈએ વકીલાતનો અભ્યાસ કર્યો અને ખંત-ચીવટથી પરીક્ષા આપી વકીલાતની પરીક્ષામાં પાસ થયા. તમેએ તથા વકીલ નંદલાલભાઈએ ખાસ ભાઈ સરખી મિત્રાચારીના સંબંધથી દૃઢ રહી વકીલાતની પેઢી ચલાવી અને દેવગુરૂ ધર્મની આરાધના યથાશક્તિ કરવા લાગ્યા. વિ. સં. ૧૯૫૮ ના માગશર માસમાં મારી સાથે તમારા પરિચય થયે, તે વખતે પણ તમે ધર્મના રાગી હતા પણ જેન ધર્મ તત્ત્વજ્ઞાનમાં તમારે પ્રવેશ થયો નહોતો. વિ. સં. ૧૯૫૮ ના ચોમાસામાં તમે આગમસાર, નયચક્ર, ગુણપર્યાયનો રાસ, નવતત્ત્વ
www.kobatirth.org
For Private And Personal Use Only