________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન.
શ્રી જેન અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી શ્રીમદ્દ બુદ્ધિસાગરસૂરિ ગ્રંથમાળાના ૮૨ મા મણુકા તરીકે સત્ય સ્વરૂપ નામનું પુસ્તક બહાર પાડવામાં આવે છે. આ પુસ્તક જેને તથા જૈનેતરને અત્યંત ઉપયોગી છે. વિ. સં. ૧૯૬ર ના માગસર માસમાં વિજાપુરથી શા. વાડીલાલ હરીચંદ પાડેચીયાની બહેન પાલી બહેને કેશરીયાને સંધ કાઢયો હતો તે વખતે આચાર્ય મહારાજ શ્રી બુદ્ધિસાગરજી મહારાજે કેશરીયાઝના સંધ સાથે વિહાર કર્યો હતો તે વખતે ગામેગામ વિહાર કરતાં નવરાશના પ્રસંગે આ સત્ય સ્વરૂપ ગ્રંથ લખ્યો છે અને શ્રી કેશરીયાજીમાં મહા સુદિ ૨ ના રેજે પૂર્ણ કર્યો હતો. મુંબાઈ જ્ઞાન પ્રસારક મંડળી તરફથી આ પુસ્તકની પહેલી આવૃત્તિ વિ. સં. ૧૯૬૩ માં છપાઈ બહાર પડી હતી. તેની અનેક સ્થાનથી માગણીઓ આવવાથી હાલ છપાવીને દ્વિતીયાવૃત્તિ તરીકે બહાર પાડે છે. આ જ્ઞા મંત્ર તરફથી આ ગ્રંથ બહાર પાડવામાં આવ્યા છે. આ ગ્રંથ
www.kobatirth.org
For Private And Personal Use Only