________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરૂષામાં ઉત્તમ અને પ્રખર પ્રતિભાશાલી મહાન આચાર્ય મહારાજે પોતાની ઉત્કટ બુદ્ધિ દ્વારા અવગાહના કરેલા બહુજ વિશાલ આગમ સાગરમાંથી વૃદ્ધ ક્ષેત્રસમાસ અને સતિશતસ્થાનાદિ નવીન શાસ્ત્રરૂપ પૂર્ણપાત્ર વડે તત્વાર્થસારને ઉદ્ધાર કરી બુદ્ધિમાન જનોને સંસાર દાવાનલનેતાપ, દૂર કર્યો જેથી પોતે પણ સંતુષ્ટ થયા. તેમજ આ ગ્રંથ શિવાય “ બૃહત્ નવ્યક્ષેત્રસમાસ, શ્રાદ્ધજિત કલપની વૃત્તિ લેક (૨૬૪૭) પ્રમાણે, ઉપરાંત શીલ તરંગિણી સં૦ (૧૩૯૪) માં તીર્થરાજથી શરૂ થતી સાધારણજિનસ્તુતિ, સર્વજ્ઞસ્તોત્ર, પૃથ્વીધસાધુ (શ્રેણી) કારિત ચૈત્યસ્તત્ર, મહાવીરસ્તુત્ર આદિ સ્તોત્ર અને ગ્રંથે તેઓશ્રીના રચેલા જોવામાં આવે છે. આચાર્યને ઉત્તમ ગુણ વડે વિભૂષિત શ્રી મતિલક સૂરિએ પિતાના સમચમાં ઉદારતા અને વિશાળ વિચારને લિધે એક મહાન આચાર્ય પણાની ખ્યાતિ પ્રાપ્ત કરી હતી સર્વ માન્ય યુગ પ્રધાન પુરૂષ તરિકે ઉલ્લેખ તે વખતને ઈતિહાસ કહે છે. "श्रीसोमतिलकनामा, मूरिविश्वोत्तमश्च तूर्योऽभूत् ।। __ महिमाम्बुधौ यदीये, लीनास्त्रिजगन्मनो मीनाः ॥१॥"
“ઉત્તમ ગુણ ને લીધે જગતું વિખ્યાત શ્રી સેમતિલક સૂરિ ઉત્તમ પુરૂષોમાં ચોથા થયા જેના મહિમા રૂપ સાગરમાં ત્રણ જગતનાં મન રૂપી મીન-માછલાં લીન થયાં છે.” વળી ગચ્છ મમત્વથી તેઓશ્રી દૂર હતા અને વિદ્ધન્માન્ય ખરતર ગછીય આચાર્ય પ્રવર શ્રી જિનપ્રભસૂરિએ પોતાના શિષ્ય સમુદાયના અભ્યાસ માટે રચેલાં
For Private And Personal Use Only