________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આશરે પાંચસે બીજાં કાવ્ય લખાયાં તે તેમાં ઉમેરવામાં આવ્યાં અને કાવ્યની પૂર્ણતા કરવામાં આવી.
સંવત. ૧૮૭૧ નું ચોમાસું પેથાપુરમાં ત્યાંના સંઘના અત્યંત આગ્રહથી કર્યું તે વખતે ત્યાં સાબરમતી સંબંધી કવ્વાલિમાં જે કંઈ લખાયું હતું તેને સાબરમતી ગુણશિક્ષણ કાવ્ય પછી દાખલ કરવામાં આવ્યું છે.
સાબરમતી ની લીલામાંથી જે કંઈ સાર ગ્રહણ કરવાનું છે તે તેમાં યથામતિ યથાશક્તિ આલેખવામાં આવ્યો છે; જેવું દદયમાં પ્રગટયું હોય તેવું જનેને આપવું એવા પ્રતિદાનના નિયમને અનુસરી કિચિત પ્રવૃત્તિ થઈ છે તેમાંથી વાચકો સ્વરૂટ્યુનુસાર જે કંઈ સત્ય ભાસે તે ગ્રહે એવી લેખકની વિજ્ઞપ્તિ છે. સાબરમતી સંબંધી નવ્યગુણુશિક્ષણ, હૃદયમાં ભાવિમાં ઉદ્ભવશે તો પશ્ચાત દ્વિતીયાવૃત્તિમાં સુધારે વધારો કરી શકાશે. હંસદષ્ટિને ધારણ કરી સુજ્ઞ વાચકો સત્ય ગ્રહશે તે તેઓને આ કાવ્યમાંથી ઘણું મળી શકે તેમ છે. આ કાવ્ય લખવામાં સ્વફરજ અદા કરવા કરતાં વિશેષ કંઈ કર્યું નથી. સાબરમતી ગુણશિક્ષણ કાવ્યને સર્વદેશીય મનુબે ઉપયોગ કરે તેમ છે; કારણકે તેમાં કોઈ ધર્મની સાથે વિરેાધ નથી. સાબરમતી સંબંધી ગુણશિક્ષણ ઉદ્ગારાના
www.kobatirth.org
For Private And Personal Use Only