________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદે આ કાવ્યનું સાધ્ય લક્ષ્ય તો ત્યાં રાખ્યું છે કે “સતીનું એવું વર્તન હોય છે કે પતિમાં સતી તન્મય થઈ જાય છે” “સ્ત્રીત્વ બદલી પતિરૂપ થઈ જાય છે ” જેમ આ સાબરમતી નદી સમુદ્રમાં જઈને પિતાનું નામ તથા રૂપ બનેને બદલી, સાગરરૂપ થઈ જાય છે, તે જ રીતે જગતના જીવોને આ કાવ્ય વડે બોધ અપાય છે કે આત્મા પરમાત્મ પતિમાં તન્મય થઈ જાય તેવી ગુણશ્રેણિ ઉપર ચડે તો પરમાત્મસ્વરૂપમય થાય–પરમાત્મપદ પામે; જેમ બાહ્ય સામ્ર મતી સાગરરૂપ થાય છે તેમ.
આ વિષયના રસિક વિદ્વાને આ ગ્રન્થની પ્રસ્તાવના લખવા પ્રેરાય તો આ ગ્રન્થ ઉપર અનેક ભાષ્ય થાય એમ આ નિવેદનના લેખકને જણાય છે, કેમકે ગુરૂકૃપા વડે આ ગ્રન્થ સામાન્ય કાવ્યરૂપે લખાતે હતો ત્યારે અચાનક અમુક લીટી ઉપર દૃષ્ટિ પડવાને પ્રસંગ પ્રાપ્ત થયો હતો અને તેથી તેની પ્રવૃત્તિમાં કેટલેક અંશે નવીનતા આવી જાય છે. અને જ્યારે સંપૂર્ણ વાંચવાને સમય પ્રાપ્ત થયો ત્યારે આ ગ્રન્થ ઉપર ખાસ લંબાણ વિવેચન લખવાને જીજ્ઞાસા થઈ છે તેને માટે બીજો પ્રસંગ રાખી આ આવૃત્તિ માટે રૂષિ” નામે પ્રખ્યાત થયેલ હરજીવનદાસ શર્માના વિદ્વાન પુત્ર રા૨. ભેળાનાથ કે જેઓ શ્રીમદ્ ગુરૂવર્યના પરિચિત છે તે
www.kobatirth.org
For Private And Personal Use Only