________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન,
૪૫
અહ એ ત્યાગી છે પૂરે-ત્યજી સુખની સહુ આશા પડેલાં કષ્ટ વેઠીને-પ્રતિજ્ઞા બોલીને પાળે–રર
વિવેચન–જે મનુષ્ય બાહ્ય સુખની સર્વ આશાઓને ત્યાગ કરીને શીર્ષપર પડેલાં સર્વ કન્ટેને વેઠીને પ્રતિજ્ઞા બેલીને પાળે છે, તે પૂર્ણ ત્યાગી છે. સુખની આશાઓને ત્યાગ કરીને પ્રતિજ્ઞા પાળતાં ત્યાગીપણું પ્રાપ્ત થાય છે. સુખની આશાઓના ત્યાગની સાથે સર્વ પ્રકારની મમતાને પણ ત્યાગ થાય છે. તેથી હૃદયમાં પૂર્ણ ત્યાગીપણું પ્રગટે છે. પ્રતિજ્ઞા પાલનમાં સર્વ સુખની આશાઓને તેમ કરવામાં આવે છે, તેથી પૂર્ણ ત્યાગી ખરેખર પ્રતિજ્ઞા પાળક થાય છે. શીર્ષ મુંડાવા માત્રથી વા ફક્ત વેષ પહેરવા માત્રથી ત્યાગીપણું પ્રાપ્ત થઈ શકતું નથી. પરંતુ પ્રતિજ્ઞા પાલનમાં સુખશાઓના ત્યાગથી ત્યાગીપણું પ્રાપ્ત થાય છે. પ્રતિજ્ઞા પાળવા માટે ઇચ્છુકાઇટની પેઠે ફાંસીના લાકડાપર શીર્ષ રાખવા જેવી પ્રવૃત્તિ કરવી પડે છે. પ્રતિજ્ઞા પાળવામાં અનેક કષ્ટ પડતાં ઈષ્ટ મિત્રે સહાયકે પણ દૂર ખસી જાય છે. સ્વાશ્રયી બનીને દુખમાં સુખ માની કણને પન્થ કાપવું પડે છે. પ્રતિજ્ઞા પાળવા માટે પહેલાથી ત્યાગી થવું પડે છે. બાદશાહને કન્યાએ ન આપવી એવી પ્રતિજ્ઞા પાળક રાજપુત રાજાઓના શીરે અનેક કષ્ટ આવી પડતાં તેઓ જંગલે જંગલ ભટક્યા. પરંતુ મુસલમાન બાદશાહને કન્યાઓ આપી નહિ. તેઓ એકના બે થયા નહિ તેથી તેઓનાં કુલ ઉદયપુર રાણાના સિદિયા કુલ માફક વખણાય છે.
ગુરૂઓ સાથે કરેલી પ્રતિજ્ઞાઓ માટે મિત્રો સાથે કરેલી પ્રતિજ્ઞાઓ માટે સ્વજન સાથે કરેલી પ્રતિજ્ઞાઓ માટે મિત્ર, ગુરૂ, બંધુ વિગેરેને આપેલાં વચને પાળવા માટે કષ્ટ સહવાં પડે છે, પરંતુ કષ્ટની પેલી પાર જતાં સત્ય સુખની પ્રાપ્તિ થાય છે, એમાં અંશ માત્ર પણ સંશય નથી. પ્રતિજ્ઞા પાળવામાં મૂછના ત્યાગી બનનારાએ આ વિશ્વમાં સર્વત્ર મહાદેવરૂપ ગણાય છે. બાહા સુખને તુચ્છ ગણીને તેને લાત મારીને ધીરવીર પુરૂષે પ્રતિજ્ઞા ટેક-વચનને પાળી શકે છે. પ્રતિજ્ઞા પાળક મનુષ્ય તેપ બંદુક, તરવાર, ફાંસી, સિંહ, અગ્નિ, આદિ કેઈથી ડરતે
For Private And Personal Use Only