________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૯૪ :
શ્રી મહાવીર જિન સ્તવન.
( રાગ ઉપરના ) હું સાચેશિષ્ય તમારો પ્રભુજી પટે લખી દ્યો મેરો. એ આંકણી. લાવું લેખણું લાવું શાહી, લાવું કાગળ સારા; મુક્તિપુરીનું રાજ્ય લખાવું, મુજ માને મારો. હું સાચેટ ૧. સગાંસંબંધી સર્વ ત્યજીને, આપની સેવા કીની; માત્ર એટલી આશ પૂરીને, જિંદગી સોંપી દીની. હું સાવ ૨. અનાર્ય આદ્રક પાપી અજુન-માળી ઉદાયી રાજા શું કર્યું બાળક અઈમને કે, આપ્યું શિવનું રાજ ? હું સાચે ૩. મંકાતી આદિ નૃપ-૫, થાય સાત સે સિદ્ધ તે શું હું પણ મુક્તિ ન પામું, મેં શી ભૂલ જ કીધ? હું સાચે ૪. શાળે લેસ્થાને મૂકી, આપને પીડા કીધ; બીજપુર પાક વહેરાવે રેવતી, તેને નિજ પદ દીધ. હું સાચે ૫. ચંદનબાળા બાકુલ આપીને, ધરે મુક્તિનો તાજ; શ્રેણિક-પત્ની વીશ શિવપદ, ચંદ સે નારી સમાજ. હું સાચે ૬. અષ્ટાપદ પર્વત જઈ આવ્યા, પંદર સે અબધૂત; તેને પણ તેં મોક્ષમાં સ્થાપ્યા, પ્રભુ ન્યાય અભુત. હું સાચે ૭. ગૌતમ ગણધર મહામુનિવર, મોક્ષતાન લયલીન; શાંતિ પામે વીર વચનથી, દશન પાઠ અદીન. હું સાચે ૮.
૧ આદ્રકુમાર. ૨ બીજોરાપાક.
For Private And Personal Use Only