________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના.
મિત્રમૈત્રી ( મિત્રધર્મ). સં. ૧૯૭૧ ના આસો માસમાં મારામિત્ર નેમિચંદ્ર ઘટાભાઈ વગેરેની સાથે પેથાપુરમાં ચાતુર્માસમાં વિરાજતા પૂજ્યપાદ ગુરૂ ગનિક જૈનાચાર્ય શ્રી બુદ્ધિસાગર સૂરિરાજને આસો માસમાં વાંચવા ગયો હતો. તત્સમયે ગુરૂવર્યની નેધબુકમાં મિત્ર સંબંધી ૨૦૬ દુહા લખેલા જોયા, તે વાંચ્યા અને તે પર વિવેચન કરવાને ભાવ થયો. શ્રીમદ્દગુરૂવર્યને વિનયપૂર્વક મારે વિચાર જણવ્યો. તેમણે અનુમતિ આપી તેથી હે ૨૦૬ દુહા લખી લીધા. અને મારા મિત્ર નેમિચંદ્ર પ્રતિજ્ઞાપાલનના દુહા લખી લીધા તે સંબંધી પ્રતિજ્ઞાપાલનની પ્રસ્તાવનાથી વિશેષ જાણવું. મારી અલ્પશક્તિ પ્રમાણે વિવેચન લખવા માંડયું અને તે ગુરૂમહારાજને દેખાડયું. તેમાં સુધારે વધારે કરવાને ગુરૂશ્રીને વિજ્ઞપ્તિ કરી, ગુરૂશ્રીએ સુધારે કરી આપ્યો તેથી હું તેમને ઉપકાર કદિ ભૂલી શકું તેમ નથી. ૧૨૫ દુહા પર વિવેચન લખી દીધું તે પછીના દુહા સાર લખેલા વિવેચનથી વાચકો સ્વયમેવ સમજી શકશે, એમ જાણું પાછલા દુહાઓનું વિવેચન કર્યું નથી. અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળે આ ગ્રન્થ છપાવી બહાર પાડવાની ફરજ બજાવી છે તેથી મંડળને આભાર માનું છું.
વાવી. મિત્રમૈત્રીનું વિવેચન લખીને સમાપ્ત કરવાની તૈયારીમાં હતા તેવામાં ધર્મમાર્ગમાં પ્રવર્તક હારા મિત્ર મહેતા દલસુખભાઈ મગનલાલે તારંગા પાસે ટીંબા ગામમાં દેહને ત્યાગ કર્યો અને અન્ય શુભાવતાર લીધો. તે મારા મિત્ર હોવાથી તેમની, અત્ર પુસ્તક સ્વાર્પણ ભાવનારૂપે યાદી લેવામાં આવે છે. દલસુખભાઈ મગનલાલનું જન્મગામ તારંગાજી પાસે ટીંબા ગામ છે. તેમને જન્મ સં. ૧૮૫૦ ના ચૈત્ર સુદ સાથે થયા હતા. તે વિશાઓવાલ જૈન હતા. અમદાવાદ છગનલાલ રાયજીને ત્યાં તેઓ રહેતા હતા. તેમણે અમદાવાદમાં રહીને ઇંગ્લીશ ગાથા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. અને ધાર્મિક અભ્યાસમાં પંચપ્રતિકમણ, નવસ્મરણ, જીવવિચાર, નવતત્વ, દંડક, સંઘયણ અને ત્રણ કર્મગ્રન્થ સુધી અર્થ સહિત અભ્યાસ કર્યો હતો. તેઓએ નવપદ
For Private And Personal Use Only