________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
પ્ર૭ શ્રી લાભશ્રીજી બીસંઘના આગ્રહથી મહેસાણામાં જ થયા. અંત સમયે મહાપુરુષ શાન્તસૂત્તિ શ્રી સુખસાગરજી મહારાજ ત્યાં સેવામાં હાજર જ હતા. એમણે સદ્ગુરુદેવશ્રી રવિસાગરજી મહારાજની આત્મસમાધિ અખંડ રહે તે માટે ખૂબ પ્રયત્ન કર્યો હતો. તે સમયે વિજય શાખાના શ્રેષ્ઠ સાધુએ શ્રી ચારિત્રવિજયજી, શ્રી ધર્મવિજયજી, શ્રી કપુરવિજયજી, શ્રી અમીવિજયજી વગેરે પણ સેવામાં હાજર હતા. ગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરીશ્વરજી પણ તે સમયે ત્યાં જ ગૃહસ્થપણે હતા. શ્રીમાન રવિસાગરજી મહારાજ તે શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજની બુદ્ધિચાતુરી જેઈને અને ત્યાગવૈરાગ્ય નિહાળીને અત્યંત ખુશ રહેતા હતા. છેલ્લી ઘડીએ શ્રીમાન રવિસાગરજી મહારાજની આજ્ઞાથી શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજે ગૃહસ્થપણામાં એક વૈરાગ્યપ્રેરક અને પોષક સઝાય ગાઈ સંભળાવી હતી.
શ્રી સુખસાગર ગુરુગીતામાં લખ્યું છે કે–આ વખતે રાત્રિના દશ વાગ્યા હતા. શ્રી રવિસાગરજી મહારાજ
અનિત્યાદિ બાર ભાવનાઓ ભાવવા લાગ્યા. શરીર વિનાશી છે, હું અવિનાશી છું, શરીરરૂપી છે, હું આત્મા અરૂપી છું, શરીર મારું નથી, તેમજ હું શરીર નથી. એમ ચઢતા પરિણામે, ચઢતા વૈરાગ્યરંગના ભાવે રાત્રિના ચાર વાગ્યા. સુશ્રાવક શ્રી વેણી. ચંદભાઈ સુરચંદ, શેઠ વસ્તારામ નેમિદાસ, શ્રી છગન
www.kobatirth.org
For Private And Personal Use Only