________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) હવે હું ગયે વ્યાધિથી હામ હારી,
મહામંદગી પ્રેમની છેજ ન્યારી. ટળે ના કદી પચ્ચને પાળવાથી,
ટળે ના કદી સ્થાનને ફેરવ્યાથી; નહી અર્થે આવે હવા કોઈ સારી,
મહામંદગી પ્રેમની છેજ ન્યારી. ન વિલાયતી કામની દઈશાળા,
જુઠા બંગલા સીમલાના રૂપાળા; બની નર્મદા ગંગ કાવેરી ખારી,
મહામંદગી પ્રેમની છેજ ન્યારી. ગમે વાંચવું પુસ્તકનું હુને ના;
જગન્મિત્રની મંડળીઓ ગમેના; અરે ! આ થકી સૌ સારી કટારી,
મહામંદગી પ્રેમની છેજ ન્યારી. ગૃહ મંદિરે છેક જાણે સ્મશાન,
મીઠાં વારિ તે આજ જેવાં શાણું ભમે ચિત્તડું ચકને વેગ ધારી,
મહામંદગી પ્રેમની છેજ ન્યારી. થયાં રત્ન જાણે બધાં પત્થરાઓ,
થયાં ઉમદાં વસ્ત્ર તો ચીંથરાઓ, અદીઠી થઈ પ્રાણની પહેલી યારી,
મહામંદગી પ્રેમની છે જ ન્યારી. ખરો કેઈ ઉસ્તાદ આવી મળે છે, કંઈ રંગને જશ ધીમો પડે છે,
૧૧
For Private And Personal Use Only