________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ ). નિર્બળ છતાંયે માનવી, જે સંપર્સપી ચાલતાં,
સુખરૂપ અમૃત પી અને આનંદમાંહી હાલતાં; વિણ સંપની મોટાઈ જગમાં, છે શરદ વાદળ સમી, હજજાર દુ:ખના પારને, તર્ગી જાય સંપી આદમી. દુહા-સંપ એજ ધન માલનું, સર્વ પ્રકારે મૂલ, સંપે પામે સર્વ જન, શિવ તરૂનાં ફલકૂલ.
૧૬
૧૭
દ્વાર, (૨૨)
છંદ-શાલિની. ગાયે જાઉં, ઈષ્ટનાં ગાન નિત્યે,
વાહે જાઉં, દેવની સેવ પ્રીતે, રાજી થાઉં, વિશ્વની બાજી જીતે,
પાજી થાઉં, કેમ ! જ્ઞાની નિમિત્તે. ભક્તિ આપે, જ્ઞાનીની થાય સેવા,
શક્તિ સ્થાપે, મોક્ષનું સખ્ય લેવા, વ્યક્તિ બાપે, વિશ્વના ક્યાંથી રહેવા,
કાપો તાપે, તીર્થ છે ઈષ્ટ દેવા ! રાજી છું હું, અન્ય કાંઈ ન પ્યારું,
રાજી છું હું, આત્મના હિત સારું; જાઉં છું હું, ભેદીને નરક મ્હારું,
લાવું છું હું, એજ સમંત્ર વારૂ. લીધી દીક્ષા, માતને તાત ત્યાગી,
લીધી ભિક્ષા, ઈષ્ટને અર્થ માગી; દીધી દીક્ષા, અન્ય જે મેહ ત્યાગી, દીધી ભિક્ષા, એમને ઈષ્ટ માગી.
For Private And Personal Use Only