________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[ ૮૧] સમાનતા વડે શરીરનું આરોગ્ય રહે છે. વાઘપિત્ત અને કફની જૂનાધિકતાને પ્રતિકાર કરવું પડે છે, તદ્વત્ ચારે વર્ણના ગુણકમનું ન્યૂનાધિક બળ થતાં યુદ્ધો વગેરે પ્રગટે છે અને તે સમાન બળ થયા વિના શાંત થતાં નથી; માટે દેશમાં રાજ્યમાં અને વિશ્વમાં ચાર વર્ણોના ગુણકર્મોનું સમાન બળ જળવાઈ રહે એવા ઉપાયે લેવા જોઈએ અને વિકારશક્તિને નાશ કરવો જોઈએ—એમ સામાજિક રાષ્ટ્રીય અને સંઘનું હિત કરનારા પરમાથી પુરૂષોએ વિચારવું જોઈએ. ત્યાગી મહાત્માઓમાં સાવિગુણની અધિકતા હોય છે ત્યાં સુધી તે વર્ગની ઉન્નતિ થયા કરે છે; પરંતુ જ્યારે તેમાં રજોગુણ અને તમોગુણને પ્રવેશ થાય છે ત્યારે તેઓની ઉપ
ગિતાનો સ્વયમેવ નાશ થાય છે અને તેથી ત્યાગીવર્ગની પડતી થાય છે. પરંતુ જ્યારે તેમાંથી ૨ ગુણ અને તમેગુણનો ભાવ કમી થતું જાય છે ત્યારે તેઓની ચડતી થતી જાય છે-ઈત્યાદિ અનેક અનુભવોનું મનન કરીને કર્મ.
ગીઓએ વિશ્વમાં શાંતિ રક્ષવા અને કર્મોને આચારમાં મૂકવાં જોઈએ. દોષયુક્ત જીવને દેખી તેઓ પર કરુણા કરવી જોઈએ અને દોષી મનુષ્યમાં ગુણોને પ્રચાર કરવા માટે સ્વશક્તિથી ઉપદેશાદિ કર્મોમાં પ્રવૃત્ત થવું જોઇએ. આ વિશ્વમાં કઈ પણ મનુષ્ય એવો નથી કે જેનામાં સકલ ગુણો જ હોય. દેશે અને ગુણેની કપના છે ત્યાં સુધી દોષીપર કરૂણું કરવાની જરૂર છે, ગુણોની અને દેશની માન્યતાઓની ભિન્ન ભિન્ન દષ્ટિ હોય છે. ૨૩૭ અન્યના દોષે દેખવાની દૃષ્ટિ એ જ મહાન દોષ.
૫, ૬૯-૮૦-૮૧ આ વિશ્વમાં જે મનુષ્ય અન્યના દે દેખે છે તેઓ
For Private And Personal Use Only