________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૬૮]
કમચંગ તિભાવે છે અને તેઓ આવિવે પરમાત્માઓ થઈ શકે છે. સમ્યગદષ્ટિધારક જ્ઞાનીએ સર્વવિરતિત્વ અંગીકાર કરીને સાધુઓ થાય છે. ગૃહસ્થ સમ્યગદષ્ટિધારક જ્ઞાનીઓ કરતાં સાધુઓ અનંત, ગુણ ઉત્તમ છે, કારણ કે તેઓએ સર્વસંગને ત્યાગ કરીને સાધુપણું અંગીકાર કર્યું છે. આ વિશ્વમાં અધ્યાત્મજ્ઞાની સાધુઓ મુનિએ આત્મસુખના ભક્તા બને છે. તેઓ બાહ્ય આયુષ્યના જીવનવડે જીવતાજાગતા અને આન્તરિ જ્ઞાન, દર્શન, ચારિત્ર્યાદિક જીવને જીવતાજાગતા સાધુ–પરમેષ્ઠી દે છે. દવે દીવાથકી થાય છે તેમ તેઓની સેવા ઉપાસના કરવાથી અધ્યાત્મજ્ઞાન પ્રગટી શકે છે. અધ્યાત્મજ્ઞાની સાધુઓની સેવા કરવાથી આ ભવમાં મુક્તિના સુખને અનુભવ મળે છે એ ખરેખરી વાત છે અને તેનાથી ઇન્દ્રિયાતીત પરબ્રહાસુઅને વિશ્વાસ પ્રકટવાથી ખરેખર ત્યાગભાવ પ્રાપ્ત થાય છે. અધ્યાત્મજ્ઞાની સાધુ પાસે જવામાત્રથી અને તેમને છેડે ઘણે ઉપદેશ શ્રવણ કરવા માત્રથી કઈ અધ્યાત્મજ્ઞાનની ઝાંખી એકદમ પ્રગટતી નથી, પરંતુ અધ્યાત્મજ્ઞાની મુનિવરેની અંતઃકરણપૂર્વક સેવા અને તેમના ઉપદેશ પર વિશ્વાસ રાખવાથી તથા તે પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી આત્મસુખની અર્થાત્ મુક્તિસુખની ઝાંખી થઈ શકે છે. આત્મારૂપ પરમાત્માની ઝાંખી થઈ શકે છે. આત્મારૂપ પરમાત્માની ઝાંખીને અનુભવ થયે એટલે સમજવું કે પરમાત્માના દર્શન થયાં. આત્મા એ જ પરમાત્મા છે અને તેનું સુખ અનુભવ નાર પણ સ્વયમેવ આત્મારૂપ પરમાત્મા છે. અએવ ઈન્દ્રિયાતીત આત્મસુખને અનુભવ થતાં પરમાત્માને પક્ષ દશામાં-અન્તમાં પ્રત્યક્ષ સુખદનરૂપ સાક્ષાત્કાર થયો એમ માનવું. આત્મા સુખરૂપ જ પરમાત્મા છે કારણ કે સુખગુણથી ગુણ એવા પરમાત્મા
For Private And Personal Use Only