________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથકર્તાની શુભ ભાવના.
(૭૩)
ધારણ કરનાર ત્યાગી હોય, કે ઈ મેગી હોય અને કોઈ ગૃહસ્થાશ્રમી હોય પરંતુ સર્વસ વિતરાગદેવકથિત સમતાભાવ જે તેને પ્રાપ્ત થશે તે કર્મબંધનથી મુક્ત થયા વિના રહેતો નથી. ગમે તે વેષ વા આચારધારકમનુષ્ય હોય પણ તે સમતા ભાવના ઉપાયનું અવલંબન કરીને મુકિતસુખની પ્રાપ્તિ કરે છે એમાં અંશમાત્ર સંશય નથી. બાહાધર્મચારોના મતભેદમાં પરસ્પર ભિન્નધમીઓ રાગદ્વેષને વિષમભાવ ધારણ કરીને હૃદયની કલુષિતતા કરી સમતાભાવને પ્રાપ્ત કરી શકતા નથી. સર્વજ્ઞ વીતરાગદેવ કથિત ધર્મનાં અનુષ્ઠાન કરે, જનવેદધર્મનાં અનુષ્ઠાન કરો, પરંતુ સમતાભાવ આવ્યા વિના પરમબ્રાપદની–મોક્ષપદની પ્રાપ્તિ થઈ શકતી નથી. સમતાભાવ જેને આવે છે તે ગમે તે ધર્મને પાલક હોય તો પણ તે મુકિતપદને પામે છે–એમ કહેવું તે રજીસ્ટર સમાન છે. શ્રદ્ધાભક્તિનું સમાલંબન કરીને જે સર્વજ્ઞની આજ્ઞાનુસારે કર્મવેગને આદરે છે તે અવશ્ય મુક્તિપદને પામે છે. પરમાત્માની ગુરુની અને ધર્મની શ્રદ્ધાભક્તિવડે કર્તવ્ય કર્મ કરવાથી ચિત્તને કર્તવ્યકર્મમાં સંયમ થાય છે અને તેથી આત્માની કર્મગદશા પરિપૂર્ણ પકવ થતાં છેવટે સમતાગની પ્રાપ્તિ થાય છે. સર્વજ્ઞની આજ્ઞાનુસારે કર્તવ્ય કર્મ કરવાની જરૂર છે. પરભાષાના સહજસૂક્ષ્મ વિચારોના અનુભવથી સર્વાની આજ્ઞાની ઝાંખી આવે છે અને તેથી કર્તવ્ય કર્મ કરવામાં આત્માર્પણ કરી શકાય છે. કર્મવેગ સંબંધી જેટલું કચવામાં આવે તેટલું કથતાં છતાં પણ અનન્તગણું કથવાનું બાકી રહેવાનું. જૈન શાસ્ત્રોમાં ક્રિયા યાને કર્યા સંબંધી ઘણું કથવામાં આવ્યું છે. પિંડમાં આત્માને તત્સંબંધી અનુભવ આવતાં બ્રહ્માંડને અનુભવ આવે છે. કર્મવેગ સંબંધી વિશેષ અનુભવ તો ખાસ શ્રી સદ્ગુરુની કૃપાથી અને તેમની ગમથી થઈ શકે છે. કર્મવેગ સંબંધી તે તે કાલમાં કર્મયોગીઓ તે તે કાલાનુસારે અનેક પુસ્તકો લખીને અનેક ભાષણે આપીને તથા અનેક કર્તવ્ય કર્મો કરીને તે તે કાલના મનુષ્યને અનુભવ આપે છે. હવે આ સંબંધી વિશેષ ન કથતાં છેવટે સારરૂપ શિક્ષા કથવામાં આવે છે કે હે મનુષ્ય !!! હે આત્મન !!! સર્વ કર્મથી મુક્ત થવા અને અનંતસુખ પ્રાપ્ત કરવા માટે પૂર્ણશ્રદ્ધાવડે ધર્મગ્યકર્તવ્ય કાર્યો કરવાથી અંતે પરમ શાન્તિ પ્રાપ્ત થવાની છે–એમ નિશ્ચય કર. ધર્મગ્યકર્તવ્યકર્મો કરવાથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અન્તરાય એ અકર્મોને નાશ થાય છે. કર્મમાં પ્રવૃત્ત થયા વિના તારે છૂટકે થવાને નથી;- અક્રિયદશાનો અધિકાર પ્રાપ્ત થયા વિના કદાપિ કર્મયોગથી મુક્ત થઈ શકાય તેમ નથી. બ્રાહ્મણ, ક્ષત્રિયોએ વૈશ્યએ અને શુદ્રોએ ગુણકર્માનુસાર કમેને વ્યવસ્થિત સંબંધ ન સાચવ્યો તથા ધામિકકમેને વ્યવસ્થિત સંબંધ ન સાચવ્યા તેથી ચારે વર્ણની પડતી થઈ તથા ત્યાગી મહાત્માઓએ ધાર્મિક કર્તવ્ય કાર્યોને પ્રવૃત્તિ સંબંધ જે સ્વાધિકાર હતો તે ન સાચ તેથી વિશ્વમાં સુખશાંતિની વ્યવસ્થા અસ્ત
For Private And Personal Use Only