SearchBrowseAboutContactDonate
Page Preview
Page 804
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૦૪ ). શ્રી કમયોગ ગ્રંથ-સવિવેચન. જોઈએ. ચિત્તની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્તો લેવાની જરૂર છે. પૂણેત્સાહથી અને આત્મશકત્યનુસારે પ્રાયશ્ચિત્તો કરવા જોઈએ. વિધવર્તિ સર્વધર્મોમાં પ્રાયશ્ચિત્તેની આવશ્યકતા જણાવવામાં આવી છે. જૈન શાસ્ત્રોમાં પ્રાયશ્ચિતનું વિશેષતઃ તે તે કાલમાં વિધાન કરવામાં આવ્યું છે. પ્રાયશ્ચિત્ત એ આન્તરતા છે તથાપિ તેનું લોકવ્યવહારમાં ભિન્નત્વ છે તેથી અત્ર તપના શ્લોકથી ભિન્નત્વ કર્યું છે. જે જે વિચારોથી અને આચારોથી ચિત્તની શુદ્ધિ થાય અને સમાજ સંઘની સુવ્યવસ્થા જળવાય તેવી રીતે પ્રાયશ્ચિત્તોને ગ્રહણ કરવાં જોઈએ. પ્રાયશ્ચિત્ત સંબંધી વિશેષ લખવામાં આવે તે એક બીજે ગ્રંથ થઈ જાય માટે અત્ર અતિસંક્ષેપથી વર્ણન કર્યું છે. ગીતાર્થ ગુરુ પાસે દેહચિત્તશુદ્ધયર્થે તથા ધર્મની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્તે ગ્રહવાં જોઈએ. અવતરણ–ઉપર પ્રમાણે કર્તવ્યકર્મોનું સ્વરૂપ દર્શાવ્યા બાદ સ્વધર્મોમાં સત્યના અંશે છે તે જણાવે છે અને તેની સાથે સર્વ ધર્મોમાં સત્યાંશને જણાવનાર અષ્ટાંગયોગનું સ્વરૂપ દર્શાવે છે. श्लोकाः सत्यांशाः सर्वधर्मेषु ज्ञातव्या नयबोधतः । भिन्ननामादिपर्यायैाह्याः संव्यवहारतः ॥ २५७ ॥ अनेकान्तनयज्ञानान्मतान्ध्यस्य क्षयो भवेत् । सत्यांशग्राहिणः सन्तः सदा स्याद्वादवादिनः ॥ २५८ ॥ सर्वधर्मेषु सत्यांशा विचाराचारयोश्च ये। अनेकान्तसमुद्रस्य मन्तव्या ज्ञानयोगिभिः ॥ २५९ ॥ स्याद्वादिभिः स्वकीयाँ-स्तान्सत्वांशान् परिभाव्य च । यतितव्यं प्रयत्नेन स्याद्वादधर्मकर्मणि ॥ २६० ॥ अष्टाङ्गानि प्रसाध्यानि योगस्य प्रीतिभक्तितः। मुमुक्षुभिर्निरासक्त्या धर्मकर्मपरायणैः ॥ २६१ ॥ શબ્દાર્થ –નબેધથી સર્વધર્મોમાં સત્યાંશે છે એમ જાણવા ગ્ય છે. ભિન્નનામા દિપર્યાવડે સંવ્યવહારથી સર્વધર્મોમાં સત્યાંશે જાણવા ગ્ય છે; અનેકાન્તનયજ્ઞાનથી For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy