SearchBrowseAboutContactDonate
Page Preview
Page 794
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૯૪) શ્રી કમલેગ મંથ-સવિવેચન. મહત્વ ખોયું. ત્યાગીઓએ-સન્યાસીઓએ અને સાધુઓએ પ્રમાદેથી સર્વવિશ્વમાં ગુરુતાની મહાપદવીઓનું બળ ખોયું અને વિષયકક્ષાના ગુલામ બન્યા. યોગીઓએ પ્રમાદાથી લબ્ધિનું-સિદ્ધિનું આધિપત્ય ખયું. લક્ષ્મીથી વિદ્યાર્થી અને સત્તાથી અજ્ઞાની મનુષ્ય અત્યંત પ્રમાદના જોરે દાસ બને છે. આર્યમનુષ્યોએ પ્રમાદોથી સ્વાતંત્ર્યને ખયું અને પરતંત્ર થયા. પ્રમાદોથી આર્યમનુષ્યએ પૂર્વની સર્વશુભશક્તિોને વારસો છે અને તેથી આર્યોની અત્યંત હાનિ થઈ. પ્રમાદથી મુંજશેખઆલસ વધે છે, અને તેથી ભય, સ્વાર્થ, દેહાધ્યાસ, વૈર, ઈર્ષ્યા વગેરે દુર્ગાનું જોર વધતાં મનુષ્યમાંથી સાત્વિકગુણોનું જોર ઘટે છે અને અને પરિણામ એ આવે છે કે જેથી રાજ્યની, સંઘની, ધર્મની પડતીને પ્રારંભ થાય છે. માટે મનુષ્યોએ આત્માના ઉપયોગથી પ્રમાદોને પરિહરવા જોઈએ અને મનવાણી-કાયાથી સાવિકગુણપૂર્વક પ્રગતિમાં સદા અગ્રગામી રહેવાય એવી પ્રવૃત્તિ કરવી જોઈએ. અવતરણ–પ્રમાદની ત્યાગપ્રવૃત્તિ કથ્થા પશ્ચાતુ હવે આત્મિક શક્તિની વૃદ્ધિ માટે બ્રહ્મચર્ય ધારણની પ્રવૃત્તિને સદુપદેશ દેવામાં આવે છે. श्लोको शारीरिकोन्ननतेः सिध्ध्यै कर्तव्यं वीर्यरक्षणम् । वीर्यरक्षैव शीलं तद् ब्रह्मज्ञानस्य कारणम् ॥ २४३ ॥ ब्रह्मचर्य सदासाध्यं देशधर्मोन्नतिप्रदम् । आत्मोन्नतिप्रदं तूर्णं वीरैर्धर्मार्थकांक्षिभिः ॥ २४४ ॥ શબ્દાર્થ –શારીરિકન્નતિની સિદ્ધિ માટે વીર્યરક્ષણ કરવું જોઈએ. વીર્યરક્ષા એજ શીલ છે તે વીર્યરક્ષા સર્વશક્તિનું મૂલ છે. બ્રહ્મજ્ઞાનનું કારણ વીર્યરક્ષા છે. વીર્યરક્ષારૂપ દ્રવ્યબ્રહ્મચર્ય સદા સાધવું જોઈએ. દેશધર્મોન્નતિપ્રદ બ્રહ્મચર્ય છે. ધર્માર્થ કાંક્ષીઓએ શીવ્ર આત્મોન્નતિ કરનાર બ્રહ્મચર્યને સદા સાધવું જોઈએ. વિવેચન –આત્મારૂપદેવનું દેહરૂપમન્દિર છે. દેહરૂપમન્દિરને ટકાવ બ્રહ્મચર્યથી થાય છે; શારીરિકપુષ્ટિ, વાચિકપુષ્ટિ અને માનસિકપુષ્ટિ માટે વીર્યરક્ષા કરવાની આવશ્યકતા અનિવાર્ય છે. વીર્યને નાશ કરવાથી મનુષ્ય સત્તા, લક્ષમી, વ્યાપાર, વિદ્યા, સુખ વગેરેથી ભ્રષ્ટ થાય છે અને તેઓ અન્યપ્રગતિશીલ પ્રજાના પાદ નીચે કચરાઈ મરી જાય છે. દેશનતિકારક, ધર્મોન્નતિકારક, રાજેન્નતિકારક અને આત્મન્નિતિ આદિ સર્વ પ્રકારની જે જે For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy