________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Sh Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
સર્વ જીવોની ઉન્નતિ થાય તેવું આચરણ કરવું.
(૫૫૧ )
g
પ્રવેશી અહેમમતાના વશ થઈ ગુલામ બને છે અને તેમાં દાસબુદ્ધિ પ્રગટે છે. માટે દુનિયાના લોકોને ધર્મમાં સ્થિર કરવા માટે જ્ઞાની મહાત્માઓએ ઉત્સર્ગકાલથી અને આપત્તિકાલથી જે જે ઘટે તે તે ઉપાયોને આદરવા જોઈએ. જે મનુષ્ય દેહાધ્યાસના તાબે થઈ અહંમમત્વી બની ફક્ત પશુના જીવનની પેઠે વિષયભેગની લાલસાએ જીવવાનું ઇચ્છે છે તે કીટકથી પણ ક્ષદ્ર બનીને ધર્મમાંથી ભ્રષ્ટ બને છે અને અનેક લોકોને ભ્રષ્ટ કરાવવામાં નિમિત્તભૂત બને છે. શિષ્યાદિ ધર્મોની ઉપયોગિતા અવાધાયા વિના આત્મોન્નતિહેતુભૂત ધર્મ સ્થિરતા પ્રાપ્ત કરી શકાતી નથી. સર્વ ધર્મોની ફરજ અદા કરવાને માટે જીવવાનું છે એમ નિશ્ચય થતાંની સાથે લેકોના કલ્યાણાર્થે આત્મગ અર્પવાની સ્થિરપ્રજ્ઞા પ્રગટે છે. અને તેથી વિશ્વલકને ધર્મોમાં સ્થિર કરવાની ચવવળ કરી શકાય છે. જે લેકે અસ્થિર મનના છે, શ્રદ્ધા અને નિશ્ચયથી બહુ દૂર છે તેઓ આત્માની શક્તિને પ્રાપ્ત કરી શકતા નથી. કોઈ પણ ધર્મમાં શ્રદ્ધા નિશ્ચયથી સ્થિર થયા વિના આત્મભેગપૂર્વક સ્થિરપ્રવૃત્તિ કરી શકાતી નથી. અસ્થિર મનના અને અસ્થિર ધર્મના મનુષ્યને સદા વિશ્વાસ રાખી શકાય નહીં. તેઓનું ધર્મજીવન ચંચળ હોવાથી તેઓ આત્મવિયને કરવી શકતા નથી અને કર્તવ્યકર્મના રણમેદાનમાંથી પાવૈયાની પેઠે મૂઠી વાળીને ભાગી જાય છે. જેઓ અસ્થિર મનના છે તેઓ સર્વ કર્તવ્યધર્મોમાં અસ્થિર રહે છે, તેઓને મેહ સતાવે છે, અને તેઓનાથી આત્માને પ્રકાશ દૂર રહે છે, તેથી તેઓ વિપત્તિરૂપ અંધકારમાં પ્રવેશ કરે છે. અતએ તેવા લેકેને ધર્મમાં સ્થિર કરવા માટે જે જે કર્મો કરાય તે કરવાં જોઈએ કે જેથી વ્યવસ્થિત સર્વ ધર્મોની અસ્તવ્યસ્ત દશા ન થાય. ભરતનૃપકૃતવેદ કે જે આચારદિનકર ગ્રન્થો વગેરેમાં છે તે રીતે તથા તીર્થકરો વગેરેનાં આગમેથી અવિરુદ્ધપણે સર્વ સત્ય શાસ્ત્રોથી અવિરુદ્ધપણે, શિષ્ટજનના વિચારોથી અવિરુદ્ધપણે, અનુભવથી અવિરુદ્ધપણે, સત્યજ્ઞાનથી અવિરુદ્ધપણે ઉપર્યુક્ત ધર્મકર્મ કરવું જોઈએ. અનુભવીઓની સલાહને અને શાસ્ત્રોને આગળ કરીને ધર્મકર્મો કરવા જોઈએ. ધર્મકર્મોને નિષ્કામ સ્વાધિકાર દૃષ્ટિથી કરવાં જોઈએ. અનેક નાની અપેક્ષાએ અધ્યાત્મરસિક જ્ઞાની પુરુષની સલાહથી અવિરુદ્ધપણે અને તે તે ધર્મ કર્મના પરિપૂર્ણ અનુભવીઓની સલાહપૂર્વક લોકેને ઉપર્યુકત ધર્મોમાં સ્થિર કરવા માટે સર્વ સ્વાર્પણ દષ્ટિથી સર્વ મનુષ્યએ સ્વાધિકાર પ્રવૃત્તિ કરવી જોઈએ.
અવતરણ –સર્વ જીવોની ઉન્નતિ અને સન્નતિકારકાદિગુણવિશિષ્ટ કર્મ કરવું જોઈએ તે જણાવે છે.
रागद्वेषक्षयो यस्मा-दुन्नतिः सर्वदेहिनाम् । स्वोत्कान्तिर्हि यतो नित्यं कर्तव्यं कर्म तच्छभम् ॥१३५॥
For Private And Personal use only