________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. લગ્નસંસ્કાર
[એક દિવસ નંદિવર્ધન અને વીર પ્રભુ ક્ષત્રિયકુંડ નગરની બહાર સિદ્ધાર્થ બાગમાં સુરમ્ય સ્થાનમાં બેઠા છે. ધર્મગોષ્ટિ કરતાં નંદિવર્ધને વીર પ્રભુને લગ્ન ક્યારે કરવાં અને લગ્નના કેટલા ભેદ છે, તે સંબંધી જ્ઞાન માટે પ્રશ્ન કર્યો. તેને જે ઉત્તર વીર પ્રભુએ આપે તે અહીં દર્શાવવામાં આવે છે. ]
નંદિવર્ધન બેલ્યા : “મહાવીર ! તમે લેકોત્તર જ્ઞાની છેહું તમારી પાસેથી લગ્નનું સ્વરૂપ જાણવા ઈચ્છું છું, માટે એ વિસ્તારથી સમજાવશો.”
વીર પ્રભુએ કહ્યું : “યેષ્ઠ બંધે ! લગ્નનું સ્વરૂપ કહેતાં પાર આવે તેમ નથી. સ્ત્રી અને પુરુષ બંને પ્રેમભાવથી ગૃહાવાસમાં પ્રજોત્પત્તિ આદિ માટે પરસ્પર જોડાય છે, તેને લગ્ન કહેવામાં આવે છે. કામના ઉદયથી પૂર્વભવે બાંધેલાં નિકાચિત ભેગ્યકર્મ ભોગવવા માટે જે સ્ત્રી-પુરુષ પરસ્પર પતિ પત્નીભાવને સ્વીકારે છે તેને લગ્ન કહેવામાં આવે છે.
જેઓ પૂર્વભવના સંસ્કારી મહાત્માઓ હોય છે અને જેઓ કામગ ભેગવવાને કાયમૈથુનની સ્વપ્નમાં પણ ઈચ્છા કરતા નથી, જેમને લગ્ન તરફ બિલકુલ અરુચિ હોય છે એવાં સ્ત્રી-પુર લગ્નથી જોડાતાં નથી. લગ્ન એ સંસારમાં સ્વર્ગસૃષ્ટિ જેવું ભોગ્ય સ્થાન છે. પૂર્વભવના સંબંધે સ્ત્રી અને પુરુષનું લગ્ન થાય છે. રાગ પશ્ચાત ત્યાગ પર રુચિ થાય છે અને ભેગ પછી વેગ પર રુચિ પ્રગટે છે. પૂર્વભવના ત્યાગી અને રોગીઓને પણ ભેગાવલિ કર્મચગે ભેગી અવસ્થા સ્વીકારવી પડે છે. અને
For Private And Personal Use Only