SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનેપનિષદ जिनवचनज्ञाः ગુણકર્માનુસારે બ્રાહ્મણ હાય, ક્ષત્રિયો હોય, વૈશ્ય હાય અને શુદ્રો હોય, પરંતુ જેઓ જિનનાં વચનને જાણે છે અર્થાત જિનદેવે કહેલાં તને જેઓ જાણે છે અને તેથી જિનદેવપર રાગભાવ ધારણ કરે છે તે જેને છે. શ્રીજિનેશ્વરકથિત આગમનિગમેને જે વાંચીને અગર સાંભળીને જાણે છે, અને તેને હૃદયમાં વિચાર કરીને સત્યના રાગી બને છે, અને અસત્યને ત્યાગ કરે છે તે જેને જાણવા. જિનેશ્વરનાં વચન પ્રમાણે જે યથાશક્તિ વર્તે છે અને જિનેશ્વરનાં ઉપદેશને જેઓ માન્ય કરે છે તે જૈન છે. શ્રદ્ધા વિનાનું જ્ઞાન તે જ્ઞાન ગણાતું નથી. શ્રી જિનેશ્વરનાં વચનનું ઘણકાલપર્યત ગુરૂગમ પૂર્વક મનન કરવાની તેનું સત્યજ્ઞાન થાય છે અને તેથી જિનવચનક્સ એવું જે સૂત્રમાં કચ્યું છે તેને અનુભવ આવે છે. जैनधर्मसंस्कारधारकाः જેઓ જેનનિગમમાં કથેલા સંસ્કારે પૈકી પોતાના યોગ્યસંસ્કારને ધારણ કરે છે તે જેને છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ પિતાના યોગ્યગૃહધર્મસંસ્કારને ધારણ કરે છે. ગર્ભાધાનાદિસંસ્કારોથી જે સંસ્કારિત થયો હોય છે તેનામાં જૈનત્વ પ્રકાશી શકે છે. જૈનશાસ્ત્રમાં સળ સંસ્કારનું વર્ણન કરવામાં આવ્યું છે. વિચાર પૂર્વક સંસ્કારોની કરણીથી આત્માપર અસર થાય છે. ગર્ભમાં રહેલા મનુષ્યને ધાર્મિકસંસ્કારે આપ્યા વિના વાસ્તવિક રીત્યા જેનેની પ્રગતિ થઈ શકતી નથી. ગૃહસ્થગ્યસંસ્કારેને ગૃહસ્થગુરૂ કરાવી શકે છે અને તેથી મહાન જૈન પ્રગટાવી શકાય છે. જેનધર્મપર પૂર્ણ શ્રદ્ધાવાળા ગૃહસ્થગુરૂ અંગીકાર કરવો જોઈએ. ગૃહસ્થગુરૂ પણ જૈનધર્મ શાસ્ત્રના મંત્રસંસ્કારથી સંસ્કારિત હેવો જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શો પિતાપિતાના ગુણર્માનુસારે વર્તતા છતાં જૈનધર્મસંસ્કારોને ધારણ કરી શકે છે. ગુણ કમથી ભ્રષ્ટ થએલ બ્રાહ્મણદિ વર્ણ જૈન ધર્મને પરંપરાએ વહાવી શક્તી નથી. સંસ્કારમંત્રને પૂર્ણ શ્રદ્ધાબળે ગણવા જોઈએ કે જેથી ધાર્યા પ્રમાણે ફલ થાય. જૈનધર્મને પુનરૂદ્ધાર કરવાને ગૃહસ્થ જૈનબ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શોએ સ્વાગ્યસંસ્કારને ધારણ કરવા જોઈએ. ગૃહસ્થબ્રાહ્મણજીને જૈનશાસ્ત્ર પ્રમાણે સમ્યકત્વ વ્રતાદિક અંગીકાર કરી તે ગૃહસ્થગુરૂ બની ને અન્ય ક્ષત્રિય જેને, For Private And Personal Use Only
SR No.008593
Book TitleJainopanishad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages50
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy