________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને પનિષદ,
કમગી બની બનવું જોઈએ જ્ઞાની બન્યા વિના કોઈ કર્મયોગી બની શકતા નથી. જૈનપુરૂષોએ અને જૈન સ્ત્રીઓએ પ્રભુની આજ્ઞારૂપ સૂત્ર માનીને કર્મયોગી બની સ્વાશ્રયાલંબી થઈ સ્વપરની શક્તિ વધે અને અધ્યાત્મજ્ઞાનની પૂર્ણ પ્રાપ્તિ થાય એવા ઉપાયે ગ્રહી કર્મયેગી બનવું.
अधर्मनाशकाः . જેનાથી પાપબુદ્ધિ પ્રગટે તે અધર્મકર્મો છે. જેનાથી વીતરાગદેવનાં આગમપર અશ્રદ્ધા પ્રગટે તે અધમ વિચારે તથા અધર્માચારે જાણવા. જૈનાગમેથી અને જૈનધર્મકર્તવ્યકર્મોથી વિપરીત વિચારચારને અધર્મ કથવામાં આવે છે. ગુહસ્થ અને સાધુને સ્વાધિકારભ્રષ્ટ કરાવનાર મન, વચન અને કાયાની પ્રવૃત્તિને અધર્મ કહે છે. મૃતધર્મથી અને ચારિત્રધર્મથી વિપરીત પ્રરૂપણને અધર્મ કહેવામાં આવે છે, જૈનધર્મથી જે વિપરીત ધર્મ છે તે અધર્મ છે. હિંસાદિવિચારાચારને અધર્મ કહેવામાં આવે છે. જેનાગમેથી જે અધર્મની વ્યાખ્યા કરવામાં આવે છે, એવા અધર્મને જે વિચારો અને આચારે છે તેને નાશ કરવામાં જે પ્રવૃત્તિ કરે છે તે જેને છે. અધર્મથી વિશ્વવર્તિમનુષ્યની પતિત દશા થાય છે. અધર્મથી દુનિયાને નાશ થાય છે. હિંસા, અસત્ય, તેય, વ્યભિચાર, માંસભક્ષણ, મદિરાપાન, અપ્રામાણ્ય, વૈર, અભિમાન, અજ્ઞાત, નિન્દા, કામ, ક્રોધ, કપટ વગેરે દુગુણે છે તે અધર્મ છે. અધમ છે તે મેહરૂપ છે, માટે મહરૂ૫ અધર્મને નાશ 'કર્યા વિના ગ્રહો અને ત્યાગીઓ આત્માના જ્ઞાનાદિ ગુણે પ્રાપ્ત કરવા શક્તિમાન થતા નથી. અધર્મથી રાજાને અને પ્રજાને ઉદય થતું નથી. અધર્મથી કોઈ દેશનો ઉદય થયો નથી, થતો નથી અને ભવિષ્યમાં થશે નહિ. રજોગુણથી અને તમોગુણથી અધર્મ થાય છે. આઅવનું સેવન કરવું તે અધર્મ છે અને સંવરનું યથાશક્તિ સ્વાધિકારે સેવન કરવું તે ધર્મ છે. સાધુઓનું અને સાધ્વીઓનું તથા આચાર્યોનું રક્ષણ કરવું તે ધર્મ છે. જૈનસંઘનું રક્ષણ કરવું તે ધર્મ છે. જેનામેનું રક્ષણ કરવું તે ધર્મ છે. જૈન ધર્માભ્યાસીઓનું રક્ષણ કર્યું તે ધર્મ છે. જેનધર્મને નાશ થાય એવી કોઈ પ્રવૃત્તિને કરવી કરાવવી તથા તેને અનુમોદવી તે અધર્મ છે. અધર્મને નાશ કરવાથી જૈને જૈનધર્મને પ્રચાર કરી શકે છે. જૈનધર્મની રક્ષા કરવાથી જેની ઉન્નતિ થાય છે. જૈનધર્મનું રક્ષણ કરવાથી જેનેનું ધર્મ સ્વયં રક્ષણ કરે છે. માટે ચતુર્વિધરૈનાએ અધર્મને નાશ કર
For Private And Personal Use Only