SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ જેનેપનિષદ પરિવર્તને-ફેરફાર કરવા પડે છે. જે ધર્મના લેકે દેશકાલાનુસારે ધર્મકર્મમાં પરિવર્તને કરતા નથી અને વહેરાના નાડાની પેઠે પકડયું તે પકડયું એમ કદાગ્રહ કરે છે તે ધર્મના લોકો આપત્તિકાલમાં જીવવાને, ઉન્નતિ કરવાને અને સ્વધર્મ રક્ષણ કરવાને શક્તિમાન્ થતા નથી. પૂર્વની જૈનેની ઝાહેઝલાલીને વિચાર કરીએ તો હાલ જૈન પર અને જૈનધર્મ પર આપત્તિકાલનાં આપદુધર્મનાં કર્મો કરવાને પ્રસંગ આવ્યો છે માટે તેનું ગુરૂગમ જ્ઞાન કરીને ધર્મચુસ્ત જૈને આપદધર્મ કર્મો કરીને જેનોની ઉન્નતિને સાધે છે. ક્ષેત્રકાલાનુસારે ગુણકર્માનુસારે બ્રાહ્મણજૈને, ક્ષત્રિય જૈન, વૈશ્યજેને અને સૂર્જનેને ધમકર્મમાં જોડવા અને જેનેની સંખ્યા વધે તથા જૈનધર્મથી સર્વ લોકોનું કલ્યાણ વર્તમાનમાં તથા ભવિષ્યમાં થાય એવી પ્રવૃત્તિ કરવી. जिनगुणविशिष्ठसर्वदेवनाममंत्रोपासकाः રાગદ્વેષ રહિત જિન કહેવાય છે. અનન્ત જ્ઞાન દર્શને ચારિત્ર ધારકને જિન કથવામાં આવે છે. જિનગુણુ વિશિષ્ઠ જે જે દેવોનાં નામો હોય તે નામ મંત્રનો જાપ કરનાર જૈને કહેવાય છે. નમસ્કાર મંત્ર, વીશ તીર્થ કરેનાં નામો વિગેરેનો જાપ કરવાથી દેવગુણોની પ્રાપ્તિ થાય છે. જિનદેવનાં નામ મંત્રની ઉપાસનાથી પુણ્ય સંવર અને નિર્જરા થાય છે. બ્રહ્મા, વિષ્ણુ, પ્રભુ, દેવ, શિવ, પરમબ્રહ્મ, પરમાત્મા હર, હરિ, જગન્નાથ, શંકર, શંભુ, મહાદેવ વિગેરે જિનદેવનાં ગુણ વિશિષ્ઠ નામો સમજીને તે દ્વારા આત્માની શુદ્ધતા કરવી, રાગદ્વેષ રહિત જ્ઞાનાવરણીયાદિધાતિકારિહિત જિનદેવોનાં અસંખ્ય નામે છે. ગમે તે નામ દ્વારા જિન ગુણેનું સ્મરણ કરવું. જિન ગુણું ગાવા, જિન પરમાત્માનાં વ્યુત્પત્તિધારા લાખે નામો ગુણ વિશિષ્ઠ થાય અને તેનાથી જિનદેવને સાક્ષાત્કાર થતું હોય તે જિનદેવનાં નામોમાં પક્ષપાત કરવો ન જોઈએ. પિતાને રૂચે તે નામથી જિનદેવનું સ્મરણ ધ્યાન ધરવું. અરિહંત મંત્રનો જાપ કરવાથી અનંતભવનાં અનત કર્મોને ક્ષય થાય છે. નમસ્કાર મંત્ર કલ્પમાં અરિહંત મંત્ર જાપની વિધિ બતાવવામાં આવી છે. મારું મંત્રને એક લાખ વાર જાપ કરવાથી ચિત્ત શુદ્ધિ થાય છે અને જિનદેવનાં દર્શન થાય છે. ચિત્તની શુદ્ધિ થાય છે. જે અહ મંત્રનો જાપ કરે છે તેને યમને ભય થતું નથી અને ચાર હત્યાનાં પાપો કરેલાં હોય છે તેને પણ નાશ થાય છે. યોગ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ૐ શા મંત્રને જાપ દરેક જૈનેએ કરવો જોઈએ. સૂરિએએ સૂરિ મંત્રને For Private And Personal Use Only
SR No.008593
Book TitleJainopanishad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages50
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy