________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને પનિષદ
-
-
---
, - *
.. -
चतुर्वर्णगुणकर्मानुसारेण धर्माराधनतत्पराः ચારવર્ણનાં ગુણકર્મો જે જે શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યા છે, તે ગુણ કર્માનુસારે વર્તતાં છતાં ધર્મની આરાધનામાં જેઓ તત્પર રહે છે તેઓ જેને કહેવાય છે. ગૃહસ્થાવાસીમનુષ્યએ સ્વસ્થવર્ણગુણકર્માનુસારે વર્તન ધર્મની આરાધનામાં તત્પર થવું જોઈએ. પિતપોતાના ગુણકર્માનુસારે વર્યા વિના લૌકિકધર્મને નાશ થવાથી લોકોત્તરધર્મની ગૃહસ્થાવાસમાં આરાધન બની શકતી નથી. ગૃહસ્થાવાસમાં રહેનારા સર્વમનુષ્પો ચોગ્યતા વિના ત્યાગી બની શકતા નથી. માટે ગૃહસ્થાવાસમાં રહેલા ચારે વર્ણના લોકોએ સ્વસ્વગુણકર્માનુસારે વ્યવહારધર્મ પ્રવૃત્તિને નિયમસર સેવવી જોઈએ. ચારે વર્ણના જૈને એ પૂર્વે જ્યાં સુધી ગુણકર્માનુસારે લૌકિક બ્રાહ્મણ, ક્ષત્રિયાદિ કર્મોને ત્યાગ નહોતે કર્યો ત્યાં સુધી તેઓ ચારે વર્ણના બળથી જૈનધર્મને રાજકીયધમર તરીકે સંરક્ષી શકયા હતા. પરંતુ
જ્યારથી ક્ષત્રિયના ગુણકર્મ પ્રમાણે વર્તવામાં પાપ છે, રાજાનાં કર્મ કરવામાં પાપ છે, સેનાધિપતિનાં કર્મ કરવામાં પાપ છે ઈત્યાદિ વિચારેને ધારણ કરી બ્રાહ્મણાદિ વર્ણના ગુણકર્મોથી ભ્રષ્ટ થયા, ત્યારથી લેત્તર જૈનધર્મની આરાધનાથી વિમુખ થયા અને જેના પરિણામ તરીકે વૈશ્યોમાં ફક્ત વણિક ” કેમ તરીકે જેને કાયમ રહ્યા અને જેની કોની વસતિ ઘટી ગઈ અને લગભગ ફક્ત બારલાખ જેટલી વસતિ રહી માટે જેનેએ હવે પૂર્વની પેઠે ચતુવણુગુણકર્માનુસારે વ્યવહારથી વતને લકત્તર જૈનધર્મની સ્વાધિકાર પ્રમાણે આરધના કરવામાં તત્પર થવું જોઈએ. ગૃહસ્થાવાસમાં ચારે વર્ણના ગુણકર્મ, પ્રમાણે વતીને જેઓ ધર્મારાધનમાં તત્પર થાય છે તે ખરા જૈને છે.
साधुवयात्यकारकाः સાધુધર્મ પાળવાની જેએમાં યોગ્યતા આવી છે તેઓ સાધુઓ ત્યાગીઓ બની શકે છે. સાધુઓ વડે જૈનધર્મનું મૂર્તિમાન સ્વરૂપ ચિરંજીવ રહે છે. મેક્ષનાં સુખનો અનુભવ કરનારા સાધુઓ છે. સાધુવની આવશ્યકતા સંબંધી જ્યલું લખીએ તેટલું ન્યૂન છે. જેનધર્મના પ્રવર્તક સાધુઓ છે માટે ગમે તેવા સોગમાં સાધુવર્ગ તરફ અરૂચિ ન કરવી જોઈએ. સાધુઓની વૈયાવૃત્ય કરવાથી પ્રભુની પ્રાપ્તિ થાય છે. સાધુઓના આશીર્વાદથી મનુષ્યનું કલ્યાણ થાય છે. સાધુએ જીવતદેવ સમાન છે માટે તેઓની
For Private And Personal Use Only