________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
કથાસાગર
( ૩ ) નગરી અને ઉદ્યાન વચ્ચે એક નદી હતી. આ નદી વરસાદ આવે ત્યારે છલોછલ ભરાતી પણ વરસાદ ન હોય ત્યારે છીછરી થતી. આ રાત્રિએ પુષ્કળ વરસાદ વરસ્ય. નદી છલોછલ ભરાઈ ગઈ. રાણીએ રાજાને પોતાના અભિગ્રહની વાત કરી. અને બોલી “નાથ! શું કરશું ? નદી તે છલોછલ હશે. સામે કિનારે કઈ રીતે જવાશે?”
રાજા બોલ્યા ગભરાઓ નહિ. તમે તમારે જાઓ અને નદીના કાંઠે હાથ જોડી બેલ “હે નદિદેવિ મારા પતિએ મારા દેવર મુનિએ દીક્ષા લીધી ત્યારથી માંડી આજ સુધી બ્રહ્મચર્યને શુદ્ધ રીતે પાળ્યું હોય તે મને સામે કિનારે જવાને માર્ગ આપે.”
રાણીને મનમાં હસવું આવ્યું તે તે સારી રીતે જાણતી હતી કે દેવરમુનિની દીક્ષા પછી તો તેને સોમશર્મા વિગેરે પુત્રે થયા હતા પણ રાજા આવું બોલે છે તેમાં કોઈ કારણ હશે તેમ માની પતિના વચનમાં શંકા ન લાવતાં પરિવાર સાથે નીકળી અને નદીના કાંઠે આવી બેલી.
દેવિ ! મારે મુનિના વંદનને નિયમ છે. મારા પતિએ મારા દેવર સેમમુનિના દીક્ષા દીવસથી માંડી આજ સુધી પુરૂં બ્રહ્મચર્ય વ્રત પાળ્યું હોય તે મને માર્ગ આપો.” રાણું પાંચ દસ મિનીટ હાથ જોડી આ પ્રમાણે પ્રાર્થના કરતી રહી ત્યાં તે નદીનું વહેણ બદલાયું અને ઉદ્યાન તરફ જવાને માર્ગ છીછરા પાણીવાળ બની ગયું. રાણી નદી ઓળંગી સામે કિનારે ગઈ. તેણે મુનિને ભાવથી વાંદ્યા. અને
For Private And Personal Use Only