________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન.
શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રકટ થતી શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિગ્રંથમાળાના ગ્રંથાંક ૮૭ તરીકે શ્રી જૈનધર્મ શંકાસમાધાન નામનો ગ્રંથ પ્રકટ કરતાં અમેને ઘણે આનંદ થાય છે. શ્રી શાસનદેવ ઘંટાકર્ણ વીરના સંબંધમાં સં. ૧૮૮૦ની સાલમાં કેટલાક જીજ્ઞાસુઓ તરફથી શંકાભરી ચર્ચા થયેલી જાણું અને તેવાઓને સત્ય હકીકત ઉપયોગી થઈ પડે એવા હેતુથી ગુરૂશ્રીએ આ ગ્રંથ લખી સમાજને આ વિષયનું ઉપયોગી સાહિત્ય પુરૂ પાડયું છે.
આ મંડળ પાસે કોઈ પ્રકારનું સ્થાયીદંડ નથી. છતાં પણ આ મંડળના અધિષ્ઠાતા પ્રાતઃસ્મરણીય ગુરૂમહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી સરિઝની પૂર્ણ કૃપાથી અને જ્ઞાનરૂપી જૈનધર્મબંધુઓની ઉદાર સહાયથી મંડળ પિતાન/ચાલું નિયમ પ્રમાણે ઉત્તમત્તમ પુસ્તક સસ્તી કીંમતે પ્રસિદ્ધ કરે જાય છે. અડળના આ શુભ કાર્યમાં જેમ જેમ અધિક હાય મળશે તેમ તેમ મંડળ પિતાનું કામ વધુ ઉત્સાહથી ચલાવશે. આવા પ્રકારના સાહિત્યની આપણામાં ઘણું ઓછપ છે ને આશા છે કે આ ગ્રંથને બહોળા પ્રમાણમાં લાભ લઈ ભવ્યાત્માએ પિતાના આત્મકલયાણ સાથે સત્ય વસ્તુની પ્રતીતિ કરી શકશે, એવી આશા રાખવામાં આવે છે. મુ. પાદરા ૧૮ ) અધ્યાત્મજ્ઞાન પ્રચારક મંડળ તરફથી,
વસંતપંચમી. ) વકીલ મોહનલાલ હીંમચંદ.
For Private And Personal Use Only