________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૫ ) પાથરીને દેરાસર બનાવવા પર્વતની જગ્યા લીધી હતી. આબુજીના દેરાસરોમાં વસ્તુપાલ અને તેજપાલે કરોડો રૂપિયા ખર્ચા છે. આબુજીના દેરાસરોની કારણું દેખીને સાહેબ કો માથું ધુણાવે છે અને કહે છે કે ચાર ખંડમાં આવી કારણ કોઈ ઠેકાણે નથી. શ્રી કુમારપાલે દિસે ચુંમાલીશ દેરાસર બંધાવ્યાં હતાં પણ હાલ તો તારંગાજીનું દેરાસર તેમની યાદી કરાવે છે. કુમારપાળ રાજાએ અબજો રૂપિયા દેરાસરો–નાન વગેરેમાં ખર્યા હતા. શ્રી કુમારપાલ રાજાએ શ્રી હેમચંદ્રસૂરિનું સામયું કર્યું તે વખતે સામૈયામાં પ્રાયઃ અઢારસો કરોડાધિપતિ જેને સામા આવ્યા હતા. આ ઉપરથી અન્ય શ્રાવકે કેવા હશે તેને ખ્યાલ કરવો જોઈએ. માંડવગઢમાં કરોડાધિપતિ જૈને વસતા હતા. માંડવગઢમાં ભેંસાશા નામને શેઠ રહેતા હતા. તેની પાસે પારસમણિ હતું. એક વખત તેની મા શ્રી શત્રુંજય યાત્રા કરવા ગઈ હતી. શત્રુંજય તીર્થમાં તેણે લાખો રૂપિયા ખર્ચા તેથી તેણે ધોળકામાં આવી ત્યાંના શેઠીઆઓ પાસે હુંડી સ્વીકારવા કહ્યું. ધોળકાને શેઠીયાઓ ભેંસાશાની મશ્કરી કરવા લાગ્યા. ભેંસાશાની માં માંડવગતમાં ગઈ અને તેણે જોળકામાં થએલી સર્વ વાત કહી, તેથી ભેંસાશાને રીશ ચઢી. તેણે હજારો ગુમાસ્તાઓને મોકલી અમુક મુદતનું ધી ખરીદવી ગુમાસ્તાઓને કહ્યું, અને શેઠીયાઓને કરોડો રૂપિયા પહેલાંથી આપી દીધા. જ્યારે મુદત આવી ત્યારે શેઠીયાઓ પાસે ધી માગ્યું અને જે જે ઘીનાં કુલ્લાં આવ્યાં તેને ધોળકાના તળાવમાં કાપવા માંડયાં અને તેથી ધીથી તળાવ ભરાઈ ગયું. ધોળકા વગેરે ગુજરાતના વ્યાપારી શેઠીયાઓ થી પુરું પાડી શક્યા નહીં તેથી પિતાની આબરૂ ન જાય તે માટે આજીજી કરવા લાગ્યા. ભેંસાશાહે ગુજરાતના શેઠીયાઓની કાછડીનો આગળનો છેડો છોડાવ્યા. ત્યારથી ગુજરાતમાં આવો રીવાજ થયે એમ કિંવદત્તી સંભળાય છે. આ વાત
For Private And Personal Use Only