________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૮)
સ્વ. પૂ. બુદ્ધિસાગરસૂરિજીએ પાલીતાણું જૈન રુકુળ કમીટીનું સર્જન કર્યુ હતું અને ગુરૂકુળની ઉન્નતિ માટેની એમની તમન્ના ઘાણ હતી. એઓશ્રી ગુરુકુળની ઉન્નતિ માટેની પ્રેરણાના અનેક રીતે સહાયક હતા. વ. પૂ. મુ. શ્રી ચારિત્ર વિજયજી (કચ્છી) એ પેલા બીજને એમણે સિંચન કરાવ્યું હતું, અત્યારે વાલકેશ્વરમાં બિરાજતા પૂ. સુ. શ્રી જિનભદ્રવિજયજી મહારાજ કે જેઓ ગૃહસ્થાવસ્થામાં શેઠ જીવણચંદ ધરમચંદ હતા, તેઓ તથા 2ઠ ફકીરચંદભાઈ કેસરીચંદ અને શ્રી લલ્લુભાઈ કરમચંદ વિગેરે સાથે મળીને સ્વ. પૂ. આચાર્યશ્રીએ ગુરુકુળ માટેની સંગીન વ્યવસ્થા કરી. એમના એ ઉત્તમ ગુણેની કદર કરી ગુરુકુળ કમીટીએ એમની પ્રતિમાનું સ્થાપન કરવાને ઉચિત નિર્ણય કરેલ. જેથી શેઠ જેસંગભાઈ જગજીવનદાસ (પાટણવાલા) તરફથી તેમની મૂતિ બનાવવાવવામાં આવી અને તાજેતરમાં (વૈ. સુ. ૬) તેની સ્થાપના સ્વ. આચાર્યશ્રીના શિષ્ય તરફથી વાસક્ષેપ પૂર્વક જૈન ગુરુકુળમાં કરવામાં આવી છે. અમદાવાદ મધ્યે શેઠ લલ્લુભાઈ રયજી જૈન બેડી ગની સ્થાપના પણ તેઓશ્રીથી થઈ છે.
જીવકપ્રબોધ, અધ્યાત્મગીતા, આત્મસ્વરૂપ, આત્મસમાધિ અને પરમામદશન. પાંચ નાના ગ્રંથોનું ભાષાંતર થયેલ છે જે પૂ. આ. શ્રી અદ્ધિસાગર સૂરિએ કરેલ છે. તે સંશોધન થયેથી હવે પછી મંડલ તરફથી છપાશે. બંધુ,
આપના સમક્ષ પૂ. આ. શ્રી બુદ્ધિસાગરજીની “સત્ય શિવ સુદર રૂપ સાહિત્યસૃષ્ટિની સંક્ષિપ્ત હકીકત નામો
For Private And Personal Use Only