________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्रीमद् बुद्धिसागरजी कृत.
गुणानुराग ग्रन्थनुं विवेचन.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सयल कल्लाण निलयं, नमिउणं तित्थनाह पयकमलं; परगुणगहणसरूवं, भणामि सोहग्ग सिरि जणयं.
ગુણાનુરાગથી થનાર તીર્થંકરને મગલાચરણમાં
નમસ્કાર કરે છે.
॥ ? ॥ સકલ કલ્યાણુના આશ્રયરૂપ તીર્થનાથ ભગવાનના પદકમલને નમસ્કાર કરીને સાભાગ્ય લક્ષ્મીને આપનાર પરગુણ ગ્રહણુસ્વરૂપને કહું છું-તીર્થંકર ભગવાનના આત્માએ પૂર્વ જન્મેામાં પરગુણાના સામી દ્દિષ્ટ કરી હતી. પરના અવગુણા દેખતાં જાણતાં છતાં પણ ક્રાઈની આગળ તે પ્રકાશ્યા નહોતા, તેમ કરવાથી પાતાને તથા પરને કાંઈ લાભ નથી. તેમ ભગવાનના આત્માએ પૂર્વ ભવમાં જાણ્યું હતું. પરના ગુણમાં લક્ષ્ય રાખી તે ભગવાન તીર્થંકર થયા, માટેજ તેમને નમસ્કાર કરવા ઉચિત છે. તેઓશ્રી કૈવલજ્ઞાનથી સર્વના દેષા જાણતા હતા, તાપણુ કાર્દની આગળ કાઇના દોષ કહેતા નહાતા. તેમજ દોષીતે તું દોષી છે એમ કહેતા નહોતા. કાઈના આત્માને ખોટું લાગે એવું કૈવલજ્ઞાન થયા છતાં પણ ખેલતા નહાતા; જ્યાંત્યાંથી પણ સદ્ગુણ દૃષ્ટિથી ગુણેા લેવા, હજારા અવગુણુ મૂકીને એક મનુષ્યનામાં રહેલા એક ગુણ લેવા, કારણ કે ગુણી થવું હોય તા ગુણુ દેખવાનીજ ટેવ પાડવી, એમ ભગવાન સમવસણમાં એસી કહેતા હતા. એવા ભગવાનનું સ્મરણ નમન કર્યાથી આત્મામાં સદ્ગુણા પ્રગટે છે, માટે તેમને નમસ્કાર કરવા યાગ્ય છે. જ્યાંત્યાં ગુણુ દેખવાથી ગુણદૃષ્ટિ ખીલે છે અને અવગુણ દૃષ્ટિને નાશ થાય છે.
આઠ કર્મ એજ અવગુણુ છે. વિચારા કે આઠ કર્મ કાને નથી લાગ્યાં, જેને આઠ કર્મ લાગ્યાં છે તેટલા અવગુણી છે. ત્યારે અવગુણુ દેખનારને પણ આઠ કર્મ લાગ્યાં છે ત્યારે તે પોતે અવગુણ ઠરે છે, અને અવગુણ દેખે છે, પ્રકાશે છે, તેથી કંઇ આત્મકલ્યાણ થતું નથી. માટે ભગવાનને નમસ્કાર કરી ભગવાને જેમ પૂર્વભવામાં ગુણાનુરાગ ધાર્યો હતા, તેમ ગુણાનુરાગ ધારણ કરવા જોઇએ.
For Private And Personal Use Only