________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ જરૂર વાચકવૃન્દ આ સાવને વાંચી પ્રમાદિત થશે એટલું જ નહી પણ એકાતે પ્રભુ પ્રતિમા સાનિધ્યમાં પ્રભુપ્રાર્થના નિર્મળ ભાવે કરશે ને તે દ્વારા આત્મશાંતિને સાક્ષાત્કાર કરશે. અને આત્મ શાંતિ એ સર્વ ધર્મને છેવટ સિદ્ધાંત છે.
વાસના એવી છે કે આકાશ પુરાય ત્યારે વાસને ધરાય. પણ એ જ વાસના પ્રભુના સાક્ષાત્કાર પછી પ્રશાંત થાય છે અને આત્મા કૃતકૃત્ય થાય છે. સંતઆત્મવિદ્યા નિષ્ણ મહાત્માઓની વાણી દ્વારા આત્માનુભવ કરી અક્ષય શાંતિ પ્રાપ્ત કરીએ તે જ માનવજન્મ સાર્થક કર્યો ગણાય. મહારાજશ્રીના ગુણાનુરાગી તેમના શિષ્ય રત્ન મુનિરાજ શ્રી હેમેન્દ્રસાગરજી પિતાના ગુરૂશ્રીનું
અધુરું કાર્ય પૂર્ણ કરવા ઉત્સાહ ધરાવે છે. અને સમભાવથી, ઉત્તમ ચારિત્રથી, ઉત્તમ ઉપદેશથી જૈન અને જેને તર સજજનમાં શુભ પ્રીતિ મેળવી શક્યા છે. એમને અધ્યાત્મ જ્ઞાન પ્રિય છે, જગત કલેશથી તેઓશ્રી દૂર છે, તેઓને કાવ્ય પર પ્રીતિ છે અને તેઓ કાવ્ય પણ સુંદર બનાવી શકે છે. એમનાં કાવ્યો પણ આમાં સામેલ ક્ય છે. બાણભટ્ટ કાદંબરી કરી અને એ અજોડ
www.kobatirth.org
For Private And Personal Use Only