________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩)
દેષદષ્ટિ, પરના અવર્ણવાદ વગેરે દોષે ખરેખર ગંભીરતા વિના ઉદ્દભવે છે. અતએ વ્યક્તિ વ્યષ્ટિના ગુણે ખીલવવા અને મહાસંઘની સેવા કટ્વા ગંભીરતા ગુણને નિષ્કામવૃત્તિથી અનેક વિપત્તિઓમાં ધારણ કરે એજ ખરેખરૂં મહાસંઘ સેવાનું પ્રથમ પગથીયું છે. ગંભીરતા ગુણ વિના ઉરચ સત્તાની પદ્ધીઓ પર ચઢેલા ભયંકર રાક્ષસ જેવા પાપ કરવા શક્તિમાન થાય છે. ગંભીરતા ગુણ વિના વિદ્યા, લક્ષમી, સત્તા, બળ તે જેમ જેમ વિશેષ પ્રમાણમાં વધે છે તેમ તેમ સ્વની અને વિશ્વની વિશેષતઃ હાનિ કરવા સમર્થ બને છે. આચાર્યોએ, ઉપાધ્યાએ, પ્રવર્તકેએ, પન્યાસોએ, સાધુઓએ, સાધ્વીઓએ, શ્રાવકોએ અને શ્રાવિકાઓએ ગંભીરતા ગુણ ખીલવવા માટે ખાસ કાળજી રાખી સતત યત્ન ખંતપૂર્વક કરવો જોઈએ. સાધુ, સાધ્વી સંબંધી જેમ જાહેર પત્રમાં ગંભીરતા વિના જૈનશાસનની હેલના નિંદા થાય તેવા લખાણે પ્રકટ થાય છે, તેમજ પરસ્પર એકબીજા સાધુઓની,
For Private and Personal Use Only