________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨) રૂઘનાથજીએ પ્રાયશ્ચિત્ત લઈને સમુદાયમાં રહેવાને ઘણું કહ્યું. પરંતુ હવે તે કેવી રીતે માની શકે? કેમકે–તેના પક્ષમાં બીજા પણ લેક મળી ગયા હતા. રૂઘનાથજીએ ઘણુંએ સમજાવ્યું, પરંતુ સમયે નહીં, ત્યારે “બિગડા પાન બિગાડે ચેલી, બિગડા સાધુ બિગાડે ટેલી” આ નિયમાનુસાર રૂઘનાથજીએ તેને સં. ૧૮૧પ ચૈત્ર શુદિ ૯ શુક્રવારે સમુદાયથી બહાર કર્યો. (કઈ કઈ જગ્યાએ ૧૮૧૮ લખેલ છે) ભીખુનજી જ્યારે સમુદાયથી બહાર થયા ત્યારે તે, તથા અખતાવર, રૂપચંદ, ભરમલ, ગિરધર વગેરે બાર મળી તેર મનુષ્ય નીકળ્યા હતા. બસ. આથી “તેરાપંથ એવું નામ પડ્યું. સંભળાયું છે કે રૂપચંદ આદિ બે સાધુ તે કઈ કારણથી થોડા જ સમયમાં ભિખુનજીને છોડીને રૂઘનાથજીને મળી ગયા હતા. આવી રીતે તેરા પંથ” ની ઉત્પત્તિ છે.” આ હકીકત વેતાંબર તેરાપંથ મિત સમીક્ષામાંથી અનુવાદ કરી લીધી છે.
જૈન દિગમ્બર સંઘ–વિક્રમ સંવત્ ૧૦૬ ની સાલમાં વેતાંબર સંઘથી દિગંબર સંઘ જુદે પડ્યો.
For Private and Personal Use Only